/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-35.jpg)
બોર્ડની પરીક્ષાના દિવસે રાંદેર વિસ્તારમાં વાલીઓ શાળામાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવતા સ્કૂલના ૫૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વંચિત થયા છે. તેઓને પરીક્ષા હૉલ ટીકીટ ન મળતા ૨૪ કલાક થી રજુઆત કરી રહ્યા છે. પરંતુ યોગ્ય નિકાલ ન આવતા વાલીઓ ઉશ્કેરાઇ જતા વહેલી સવારે શાળા પહોંચ્યા હતા અને શાળામાં તોડફોડ કરી હતી. પ્રભાત તારા સ્કીલની માન્યતા બોર્ડ રદ કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શક્યા નથી.
બોર્ડની પરીક્ષા ના દિવસે વર્ષ ભરથી તૈયારીઓ કરી રહેલા સુરતના આશરે ૫૪ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી શક્યા નથી સ્કૂલની માન્યતા રદ્દ કરાતાં સ્કૂલના ૫૪ વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકીટ મળી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં. જેથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ આજે સ્કૂલ પર ધસી જાય તોડફોડ કરી હતી .
ગઈકાલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણધિકારીને રજુઆત કરતા રહ્યા તેમને આશા હતી કે કોઈ યોગ્ય નિકાલ આવશે અને પરીક્ષા આપવા દેવા તંત્ર ને અપીલ કરી હતી.પરન્તુ અત્યારસુધી કોઈ યોગ્ય નિકાલ ન આવતા વાલીઓ શાળામાં પહોંચી તોડફોડ કરતા નજરે આવ્યા હતા બોર્ડ અને સ્કૂલના વિવાદ વચ્ચે ૫૪ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા જોવા મળી રહ્યાં છે.જો કે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધના વિવાદ બાદ સ્કૂલમાં સંચાલકોએ તાળા લગાવી દીધા છે. જ્યારે અન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ સ્કૂલની બહાર ઉભા રાખવામાં આવ્યાં.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ્દ કરી હતી. આ અંગે સ્કૂલના સંચાલકોએ વાલીઓને અંધારામાં રાખ્યા હતા. ડીઇઓએ સ્કૂલ વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આમ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે આ અંગે શિક્ષણ વિભાગ શું કરશે કાર્યવાહી? વાલીઓનું કહેવું છે કે સમગ્ર ઘટનામાં સરકાર જવાબદાર છે. જો સરકાર અગાઉ પગલું ભર્યું હોત તો આજે તેમના બાકોના ભવિષ્ય સામે.અંધકાર ન આવ્યું હોત