Connect Gujarat
ગુજરાત

સુરત: નહેરમાંથી થતી પાણી ચોરીના પગલે જિલ્લાના ખેડૂતો ની હાલત દયનીય

સુરત: નહેરમાંથી થતી પાણી ચોરીના પગલે જિલ્લાના ખેડૂતો ની હાલત દયનીય
X

સુરત જીલ્લાના ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાયા છે. એકતરફ ઉકાઇ ડેમમાં પાણી ઓછુ હોવાને કારણે ખેડૂતોને પાણી ઓછુ આપવામાં આવ્યું છે ઉપરાંત ખેડૂતોને દાઝયા ઉપર ડામ મળ્યો હોય તેમ નહેરમાં આવતું પાણી છેવાડાના ગામો સુધી પહોંચી શકતુ નથી. કારણકે પાણી વચ્ચેથી જ ચોરાઇ જતું હોય છે. પાણી ઓછુ આવવાના કારણે ખેડૂતો ખેતર સૂકા ભઠ્ઠ થઇ રહ્યા છે તો ઉગાડેલા પાકને પણ નુકશાન થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.

સુરતના ઓલપાડ તાલુકાના છેવાડા એટલે કે કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. છેવાડાના ગામો જેવાકે ભાંડૂત, મોટા ખોસાડિયા, નાના ખોસાડિયા, દભારી, ટૂંડા, છીણી, ધનસેરા જેવા 7 જેટલા ગામોના ખેડૂતોને હાલ સિંચાઇ માટે પાણી નથી મળી રહ્યું, 12 દિવસ પહેલા ઉકાઇ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવયું હતું પરંતુ સિંચાઇનું પાણી નહેર મારફતે ગામે ગામ ખેતર માટે પહોંચવું જોઇએ પરંતુ તે પાણી 12દિવસ પછી પણ પહોંચ્યું નથી પાણી નહીં પહોંચવાને કારણે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પરવરનો પાકને મોટું નુકશાન થઇ રહ્યું છે. પાણી જે આપવામાં આવે છે તે પાણી નહેરમાંથી ચોરાઇ જતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

સુરત જીલ્લાના ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે કારણે સિંચાઇ માટે આપવામાં આવતું પાણી તેમના સુધી પહોંચી નથી રહ્યું ત્યારે આ મામલે અનેક વખત સિંચાઇ વિભાગને જાણકારી આપવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું હાલ જે પાણી બે થી ત્રણ દિવસમાં નહેર દ્વારા ખેડૂતોને મળવું જોઇએ એ પાણી 12 દિવસે પણ નથી પહોંચતુ જેનું મુખ્ય કારણ ચોરી છે. આ સાથે સાથે વાત કરવામાં આવે તો ઉનાળાનું રોટેશનમાં આ છેલ્લી વખત પાણી આવનાર છે કારણે ઉકાઇ ડેમમાં પાણી ફક્ત 10 ટકા જથ્થો બચ્યો હોવાની વાત બહાર આવી છે ત્યારે પાણી ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે ખેડૂતોને પાણી નથી મળી રહ્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

Next Story