સુરત: કતારગામના ગજેરા સર્કલ પાસે જ્વેલેરીના કારખાનામાં આગ લગતા 2 કામદારો ઈજાગ્રસ્ત

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક  આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.

New Update

સુરતના કતારગામ વિસ્તારની ઘટના

Advertisment

ગજેરા સર્કલ નજીક કારખાનામાં લાગી આગ

ડાયમંડના કારખાનામાં આગથી મચી નાસભાગ 

ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

આગમાં બે કામદારોને પહોંચી ઇજા 

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક  આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જવેલરી કારખાનામાં અચાનક આગ લાગી ગઈ હતી,સર્જાયેલી ઘટનાને પગલે કારખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.ડાયમંડનાં કારખાનામાં ફરજ બજાવતા બે કામદારો ઈજાગ્રસ્ત થયા હતા,અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આગ અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.
Advertisment
Latest Stories