સુરત : 9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો
9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો
સુરતમાં ફરી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લામાં આવેલા દામકા ગામમાં મૂળ બિહારના રણજીતસિંહ પરિવાર સાથે રહે છે. છેલ્લા 4 વર્ષથી ભાડાના મકાનમાં રહે છે અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે પુત્ર છે.
9 વર્ષીય મોટો પુત્ર ગોલુ કુમાર નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગત રોજ ગોલુ ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. ઘણો સમય થવા છતાં ગોલુ ઘરે પરત ફર્યો ના હતો. દરમિયાન ગોલુ તળાવમાં ડૂબી ગયો હોવાની પરિવારને જાણ થઈ હતી.
ત્યારબાદ ગોલુના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃતક ગોલુ પરિવારનો મોટો દીકરો હતો. જેનું ડૂબી જઈ મોતને ભેટતા શોકનો માહોલ છવાઇ ગયો હતો. ગોલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો