પ્રયાગરાજ-ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતો સુરતનો યુવક પાણીમાં ડૂબ્યો, 14 દિવસે પણ ભાળ નહીં મળતા પરિવારે કર્યું બારમું

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો.

New Update
  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ-મહાકુંભમાં મળ્યું યુવકને મોત

  • ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતા સુરતનો યુવક ગરકાવ

  • ફાયર અનેNDRFની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરાય

  • 14 દિવસ બાદ પણ યુવકના મૃતદેહની કોઈ ભાળ નહીં

  • મૃતકના પરિવારજનોમાં છવાઈ ગઈ છે શોકની કાલિમા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. જોકે14 દિવસ વીતી ગયા હોવા છતાં પણ મૃતદેહની કોઈ ભાળ ન મળતા પરિજનોમાં શોકની કાલિમા છવાઈ છે.

મળતી માહિતી અનુસારમૂળ અમરેલીના પીપળવા ગામના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતા 32 વર્ષીય કમલેશ વઘાસિયા કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોચ્યા હતા. જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું. બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા, જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વિડીયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલા કમલેશભાઈએ ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યા હતા. એક બે ત્રણ એમ છ ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતોઅને બાદમાં તે ગુમ થઈ ગયો હતો. જેથી કિનારે ઉભેલો મિત્ર સ્તબ્ધ થઈ તાત્કાલિક નજીકમાં ઉભેલા પોલીસકર્મીને જાણ કરી હતી. જે બાદ ફાયર અનેNDRFની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી.

તો બીજી તરફઆ મામલે પરિવારને જાણ થતાં તેઓ પર આભ ફાટી પડ્યું હતું. જોકેઆજે 14 દિવસ બાદ પણ કમલેશ વઘાસિયાની કોઈ ભાળ મળી નહોતી. બનાવના પગલે કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં મહાકુંભ પર સમગ્ર વિશ્વની નજર રહી છેત્યાં નાનામાં નાની ઘટના અંગે તંત્ર સંવેદનશીલ દેખાઈ રહ્યું છે. આ તરફ સુરત ખાતે મૃતકના પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરવામાં આવ્યું હતું. જોકેપરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા છે. પરિવારના મોભીઓએ યુપી સરકારનો સંપર્ક કર્યોત્યારે તેમને હૈયા ધરપત મળી હતી કેડુબી જનાર યુવકના મૃતદેહને કિનારે આવતા વધુમાં વધુ 30થી 35 કલાક જેવો સમય લાગી શકે છે. ત્યારબાદ વિના વિલંબે આ યુવકના મૃતદેહને પરિવાર સમક્ષ સોંપવામાં આવશે.

Read the Next Article

સુરત : રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ બન્યું નવું નજરાણું…

સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું છે. સ્માર્ટ બસ ડેપોમાં Wi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

New Update
  • સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પ્રયાસ

  • સોલર સિટી સુરતમાં સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ કાર્યરત

  • સ્માર્ટ બસ સ્ટેશન સમગ્ર દેશમાં રોલ મોડેલ સાબિત થયું

  • દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું

  • સ્માર્ટ બસ ડેપોમાંWi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ

સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તેવો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાયો છેત્યારે સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યંા છે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છેત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થાGIZ (ડેઉટસ્ચે ગેસેલ્સ્ચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે જુસામેનરબેઇટના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથેWi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ અંગે કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કેસુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થાGIZના સહકારથી અમલમાં મુકાયો છે.

સ્વચ્છ સુરતસોલર સુરત અને સ્માર્ટ સિટી સુરત તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતેWi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ. 6.56 લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે.

Latest Stories