પ્રયાગરાજ-ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતો સુરતનો યુવક પાણીમાં ડૂબ્યો, 14 દિવસે પણ ભાળ નહીં મળતા પરિવારે કર્યું બારમું

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો.

New Update
  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ-મહાકુંભમાં મળ્યું યુવકને મોત

  • ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતા સુરતનો યુવક ગરકાવ

  • ફાયર અને NDRFની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરાય

  • 14 દિવસ બાદ પણ યુવકના મૃતદેહની કોઈ ભાળ નહીં

  • મૃતકના પરિવારજનોમાં છવાઈ ગઈ છે શોકની કાલિમા

Advertisment W3.CSS

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. જોકે14 દિવસ વીતી ગયા હોવા છતાં પણ મૃતદેહની કોઈ ભાળ ન મળતા પરિજનોમાં શોકની કાલિમા છવાઈ છે.

મળતી માહિતી અનુસારમૂળ અમરેલીના પીપળવા ગામના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતા 32 વર્ષીય કમલેશ વઘાસિયા કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોચ્યા હતા. જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું. બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા, જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વિડીયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલા કમલેશભાઈએ ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યા હતા. એક બે ત્રણ એમ છ ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતોઅને બાદમાં તે ગુમ થઈ ગયો હતો. જેથી કિનારે ઉભેલો મિત્ર સ્તબ્ધ થઈ તાત્કાલિક નજીકમાં ઉભેલા પોલીસકર્મીને જાણ કરી હતી. જે બાદ ફાયર અને NDRFની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી.

તો બીજી તરફઆ મામલે પરિવારને જાણ થતાં તેઓ પર આભ ફાટી પડ્યું હતું. જોકેઆજે 14 દિવસ બાદ પણ કમલેશ વઘાસિયાની કોઈ ભાળ મળી નહોતી. બનાવના પગલે કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં મહાકુંભ પર સમગ્ર વિશ્વની નજર રહી છેત્યાં નાનામાં નાની ઘટના અંગે તંત્ર સંવેદનશીલ દેખાઈ રહ્યું છે. આ તરફ સુરત ખાતે મૃતકના પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરવામાં આવ્યું હતું. જોકેપરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા છે. પરિવારના મોભીઓએ યુપી સરકારનો સંપર્ક કર્યોત્યારે તેમને હૈયા ધરપત મળી હતી કેડુબી જનાર યુવકના મૃતદેહને કિનારે આવતા વધુમાં વધુ 30થી 35 કલાક જેવો સમય લાગી શકે છે. ત્યારબાદ વિના વિલંબે આ યુવકના મૃતદેહને પરિવાર સમક્ષ સોંપવામાં આવશે.

 

Read the Next Article

સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.

New Update
  • સુરતના કામરેજનો ચકચારી બનાવ

  • વાવ ગામે શ્વાન બાળકીને ખેંચી ગયું

  • માતા રસોઈ બનાવતી હતી એ દરમ્યાન બની ઘટના

  • હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહીં

  • પોલીસે ડ્રોન કેમેરાની લીધી મદદ

Advertisment W3.CSS
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી ત્યારે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે.હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી.તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા ૧૦૦ થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
પોલીસે બાળકીને શોધવા ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોડની પણ મદદ દીધી હતી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે .છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી.પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.ઝાડી ઝાંખરામાં ડ્રોન થી ચર્ચ કરવામાં આવી રહ્યું છે.ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.