સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનો ઉપદ્રવ,દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર પડ્યા

સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,

New Update

સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ

નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં

દર્દીઓની સારવાર કરનાર સિવિલના ડોક્ટર જ બીમાર

આરોગ્ય વિભાગ દ્વારા 4 વર્ષમાં 50થી વધુ નોટિસો પાઠવી 

ગંદકી,પાણી લીકેજ,મચ્છર બ્રીડીંગ બાબતે નોટિસ આપવામાં આવી 

સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,જાણવા મળ્યા મુજબ સિવિલના ડોક્ટર પણ બીમારીમાં સપડાયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પુનઃ વિવાદમાં સપડાઈ છે,મહાનગરપાલિકા દ્વારા વારંવાર પાઠવવામાં આવેલી ગંદકી મુદ્દેની નોટિસો બાદ પણ સિવિલનું તંત્ર ઘોર નિંદ્રામાં જ પોઢી રહ્યું છે.તાજેતરમાં પણ SMC દ્વારા નવી સિવિલ હોસ્પિટલને ગંદકીના ફોટા સાથે નોટિસ ફટકારવામાં આવી હતી,પરંતુ તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં કોઈ જ સુધારો જોવા મળ્યો ન હતો.ગંદકીથી ખદબદતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 4 વર્ષમાં 50થી વધુ નોટિસ આપવામાં આવી છે,સિવિલ હોસ્પિટલમાં ગંદકી,પાણી લીકેજ,મચ્છર બ્રીડીંગ બાબતે નોટિસ આપવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં આશ્ચર્યની વાત એ છે કે દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર હોવાનું જાણવા મળ્યું છે.
Read the Next Article

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.