સુરતમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી એકનું મોત, આરોગ્ય તંત્રમાં દોડધામ..
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો
સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે.
23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.