સુરતમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી એકનું મોત, આરોગ્ય તંત્રમાં દોડધામ..

સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

New Update

સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જયારે કાપોદ્રાની એક યુવાન પરિણીતાનું ડેન્ગ્યુની બીમારીની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુરતમાં અવિરત વરસેલા વરસાદે જનજીવન પર માઠી અસર કરી છે,વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે રોગચાળાએ માથું ઉચક્યું છે.જાણવા મળ્યા મુજબ શહેરમાં તાવ,ઝાડા અને ઉલ્ટીના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહ્યા છે.જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે,જયારે કાપોદ્રાની 20 વર્ષીય યુવાન પરિણીતા કે જે ડેન્ગ્યુની સારવાર હેઠળ હતી,તેનું સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.અને આરોગ્ય વિભાગ દ્વારા સફાળા જાગીને લોકોના સ્વાસ્થ્ય અંગેની તપાસ શરૂ કરી છે.તથા લોકોને બહારનું ભોજન તેમજ વાસી તથા  દૂષિત ખોરાક અને પાણી ન આરોગવા માટે સૂચન કરવામાં આવ્યું છે.   
Read the Next Article

સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો

New Update
model suicide

સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે. 

model suicide  Case

23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.