સુરતમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી એકનું મોત, આરોગ્ય તંત્રમાં દોડધામ..
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.
સુરતના રાંદેર મેરુલક્ષ્મી સોસાયટીમાં ભાડે રાખેલા મકાનમાંથી એસઓજીએ 36.58 લાખની ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાનનો ગલ્લો ચલાવનાર સામે કાર્યવાહી કરી છે.જયારે તેના એક ભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે. જેના આધારે એસઓજીનએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન પાનનો ગલ્લો ચલાવનાર નાઝીર મોહંમદ જાવેદ શેખને ઈ-સિગારેટ સાથે પકડી પાડયો છે. તેના ઘરમાં વચ્ચેના માળે બનાવેલા ગોડાઉનમાંથી ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટના 8256 બોક્સ રૂપિયા 36.58 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ ઈ-સિગારેટ તેનો ભાઈ કાદીર શેખ મુંબઇથી લાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.એસઓજીએ તેના ભાઈ કાદીરને વોન્ટેડ જાહેર કર્યો છે. કાદીર પકડાય પછી મુંબઇથી કોની પાસેથી સિગારેટ લાવતો હતો,તેની ભાળ મળી શકશે.