-
લસકાણામાં કાર ચાલક બન્યો બેફામ
-
બે બાઈક સવારને લીધા અડફેટે
-
સગા ભાઈ બહેન સહિત ત્રણના નિપજ્યા મોત
-
અકસ્માત બાદ કાર પણ પલ્ટી મારી
-
કાર ચાલકની ધરપકડ કરતી પોલીસે
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં સગા ભાઈ બહેન સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.પોલીસે કાર ચાલક વિરૂદ્ધ માનવવધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા.
સુરતના કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબૂ બનેલી કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી.આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશ નાનજીભાઈ લાઠીયાને પણ અડફેટે લીધા હતા.બાદમાં કાર પલટી ખાઇને ડિવાઇડર સાથે અથડાઇ હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.જ્યારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું આજે સોમવારે ટૂંકી સારવાર મોત નીપજ્યું હતું.જ્યારે કાર ચાલક અર્જુન વિરાણીને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ભાર આવ્યા હતા.