સુરત: પુણા ગામમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે.

New Update

સુરતના પુણામાં રહીશો ગટરના પાણીથી પરેશાન

Advertisment

મનપાની સ્વચ્છતાની વાત પણ વાસ્તવિકતા જુદી

સ્થાનિકોને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે

ભાજપ-આપ ભાઈભાઈ ગટરનું પાણી રોડે જાયના લાગ્યા નારા 

ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી કરાયો વિરોધ  

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે. ગટરના પાણીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.આજે સોસાયટીના રહીશોએ સત્તાપક્ષ અને વિપક્ષના ઝંડા સાથે વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

સુરત મહાનગર પાલિકા સ્વચ્છતાના બણગા ફૂંકી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે. પોષ વિસ્તાર છોડી મોટાભાગના વિસ્તારમાં ગંદકી અને ગટરના પાણી ભરાવવાની સમસ્યાની ફરિયાદ ઉઠી રહી છે.ત્યારે સુરતના પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટીકૃષ્ણનગર સોસાયટીમારૂતિ નગર સોસાયટીનિરાંત નગર સોસાયટીસાંઈ નગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા પુણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ - આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય જાય ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

Advertisment

આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાકોંગ્રેસના અગ્રણી ચેતન રાદડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment