સુરત : પી.પી.સવાણીના “પિયરિયું” સમૂહલગ્નમાં 111 દીકરીઓના પ્રભુતામાં પગલાં, મુખ્યમંત્રી અને મોરારી બાપુએ આપ્યા આશીર્વાદ

એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું.

New Update
  • એક જ દિવસે 300 દીકરીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં

  • પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 દીકરીઓના સમૂહલગ્ન

  • સવાણી પરિવારના સમૂહલગ્નમાં કોમી એક્તાના દ્રશ્યો

  • આહીર સમાજના લગ્નમાં ડોક્ટર-એન્જિનિયરે ફેરા ફર્યા

  • રાજ્યના મુખ્યમંત્રી અને મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા

સુરત શહેરમાં પી.પી.સવાણી પરિવાર તેમજ આહીર સમાજ દ્વારા પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં હતું. પી.પી.સવાણીનાપિયરિયું” સમૂહલગ્નના આયોજનમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કથાકાર મોરારી બાપુએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા.

સુરત શહેરમાં ગત તા. 14 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું. જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા. તો બીજી તરફઆહીર સમાજ દ્વારા પિતા વિહોણી 20 સહિત 189 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.

પી.પી.સવાણીના પિયરિયું સમૂહલગ્નના આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીરાજ્યમંત્રી મુળું બેરાકથાકાર મોરારી બાપુ સહિત સંતો મહંતોઆમંત્રિત મહાનુભાવોએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેછેલ્લા 16 વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીંપણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5,274 દીકરીના પાલક પિતા બની ગયા છે.

છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છેત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ'પિયરીયુંછોડીને સાસરે શ્વસુરગૃહે ગઈ છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.