સુરત : પી.પી.સવાણીના “પિયરિયું” સમૂહલગ્નમાં 111 દીકરીઓના પ્રભુતામાં પગલાં, મુખ્યમંત્રી અને મોરારી બાપુએ આપ્યા આશીર્વાદ

એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું.

New Update
  • એક જ દિવસે 300 દીકરીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં

  • પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 દીકરીઓના સમૂહલગ્ન

  • સવાણી પરિવારના સમૂહલગ્નમાં કોમી એક્તાના દ્રશ્યો

  • આહીર સમાજના લગ્નમાં ડોક્ટર-એન્જિનિયરે ફેરા ફર્યા

  • રાજ્યના મુખ્યમંત્રી અને મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા

સુરત શહેરમાં પી.પી.સવાણી પરિવાર તેમજ આહીર સમાજ દ્વારા પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં હતું. પી.પી.સવાણીના પિયરિયું” સમૂહલગ્નના આયોજનમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કથાકાર મોરારી બાપુએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા.

સુરત શહેરમાં ગત તા. 14 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું. જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા. તો બીજી તરફઆહીર સમાજ દ્વારા પિતા વિહોણી 20 સહિત 189 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.

પી.પી.સવાણીના પિયરિયું સમૂહલગ્નના આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીરાજ્યમંત્રી મુળું બેરાકથાકાર મોરારી બાપુ સહિત સંતો મહંતોઆમંત્રિત મહાનુભાવોએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેછેલ્લા 16 વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીંપણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5,274 દીકરીના પાલક પિતા બની ગયા છે.

છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છેત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ 'પિયરીયુંછોડીને સાસરે શ્વસુરગૃહે ગઈ છે.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.