-
એક જ દિવસે 300 દીકરીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં
-
પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 દીકરીઓના સમૂહલગ્ન
-
સવાણી પરિવારના સમૂહલગ્નમાં કોમી એક્તાના દ્રશ્યો
-
આહીર સમાજના લગ્નમાં ડોક્ટર-એન્જિનિયરે ફેરા ફર્યા
-
રાજ્યના મુખ્યમંત્રી અને મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા
સુરત શહેરમાં પી.પી.સવાણી પરિવાર તેમજ આહીર સમાજ દ્વારા પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં હતું. પી.પી.સવાણીના “પિયરિયું” સમૂહલગ્નના આયોજનમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કથાકાર મોરારી બાપુએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા.
સુરત શહેરમાં ગત તા. 14 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું. જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આહીર સમાજ દ્વારા પિતા વિહોણી 20 સહિત 189 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.
પી.પી.સવાણીના પિયરિયું સમૂહલગ્નના આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી મુળું બેરા, કથાકાર મોરારી બાપુ સહિત સંતો મહંતો, આમંત્રિત મહાનુભાવોએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 16 વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5,274 દીકરીના પાલક પિતા બની ગયા છે.
છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે, ત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ 'પિયરીયું' છોડીને સાસરે શ્વસુરગૃહે ગઈ છે.