સુરત : અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ

અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 જેટલા ઉદ્યાનોનું લોકાર્પણ

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

બાળકોથી લઈને વૃદ્ધોને મળશે ગાર્ડનની સુવિધાનો લાભ

વધુમાં વધુ લોકો લાભ લે તેવી તંત્ર દ્વારા અપીલ કરાય

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ અને રાંદેર ખાતે 2 અલગ અલગ ઉદ્યાનોનું લોકાર્પણ કરાયું હતું. ટોરેન્ટ ગ્રુપની ચેરીટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને જાહેર બગીચા શહેરની જનતાને સમર્પિત કર્યા હતા. યુએનએમ ફાઉન્ડેશન પોતાની પ્રતીતિ પહેલ અંતર્ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ આ બંને બગીચાઓનો વિકાસ કરી શહેરની 34,000 ચોરસ મીટરનો ગ્રીન સ્પેસમાં વધારો કર્યો છે. જે બાગ બગીચાઓનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજના નામ પરથી સુરતના અઠવાલાઇન્સ મુકામે આવેલા બગીચાનું નવીનીકરણ કરવાની સાથે નામકરણ કરી જાહેર જનતા માટે ઉદ્યાન ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવેના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે રાંદેર ઝોન વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 5700 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા બગીચાનંા નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સીટીઝનો પણ આ ગાર્ડનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગાર્ડનમાં 750 જેટલા જૂના વૃક્ષોનું સરક્ષણ કરવામાં આવ્યું છેજ્યારે 62400 જેટલા ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓના પ્રવેશ માટે ખાસ રેમ્પ તૈયાર કરાયો છે. જેનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે તે માટે તંત્ર અને ટોરેન્ટ પાવર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.