સુરત : અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ

અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 જેટલા ઉદ્યાનોનું લોકાર્પણ

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

બાળકોથી લઈને વૃદ્ધોને મળશે ગાર્ડનની સુવિધાનો લાભ

વધુમાં વધુ લોકો લાભ લે તેવી તંત્ર દ્વારા અપીલ કરાય

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisment

સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ અને રાંદેર ખાતે 2 અલગ અલગ ઉદ્યાનોનું લોકાર્પણ કરાયું હતું. ટોરેન્ટ ગ્રુપની ચેરીટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને જાહેર બગીચા શહેરની જનતાને સમર્પિત કર્યા હતા. યુએનએમ ફાઉન્ડેશન પોતાની પ્રતીતિ પહેલ અંતર્ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ આ બંને બગીચાઓનો વિકાસ કરી શહેરની 34,000 ચોરસ મીટરનો ગ્રીન સ્પેસમાં વધારો કર્યો છે. જે બાગ બગીચાઓનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજના નામ પરથી સુરતના અઠવાલાઇન્સ મુકામે આવેલા બગીચાનું નવીનીકરણ કરવાની સાથે નામકરણ કરી જાહેર જનતા માટે ઉદ્યાન ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવેના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે રાંદેર ઝોન વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 5700 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા બગીચાનંા નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સીટીઝનો પણ આ ગાર્ડનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગાર્ડનમાં 750 જેટલા જૂના વૃક્ષોનું સરક્ષણ કરવામાં આવ્યું છેજ્યારે 62400 જેટલા ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓના પ્રવેશ માટે ખાસ રેમ્પ તૈયાર કરાયો છે. જેનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે તે માટે તંત્ર અને ટોરેન્ટ પાવર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

Advertisment

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

Advertisment

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.