સુરત : મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર 2 અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ...

સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
સુરત : મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર 2 અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ વેપારી ઉપર ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં વેપારીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી..

જેથી ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ફાયરિંગ કરી બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ સરથાણા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, સરથાણા વિસ્તારમાં થયેલ ફાયરિંગના પગલે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.