સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત

માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું.

New Update
સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત

સુરત જિલ્લાના માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 યુવાનને 108ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સુરતના માંડવી તાલુકાના આંબલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશ વસાવા પત્ની અને બે પુત્રો સાથે રહે છે. ગતરોજ તેઓના ફળિયામાં રહેતા ધીરુભાઈ વસાવાની પુત્રી નિશાના લગ્ન હતા અને બીલીમોરાથી જાન આવી હતી જે જાનમાં રાકેશઅને તેનો 14 વર્ષીય મોટો પુત્ર આયુષ ગયા હતા. દરમિયાન આયુષ ડી.જે સાઉન્ડનાં સ્પીકર પર ડી.જે સાઉન્ડના અન્ય 3 કારીગરો સાથે બેઠો હતો. ડી.જે.નો ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ મારી રહ્યો હતો. દરમિયાન ઉપરથી પસાર થતો વિજતાર નજીક આવતા આયુષે હાથથી વિજતાર પકડી ઊંચો કરવા જતાં ઉપર બેસેલા ચારેયને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે ત્યાં હાજર એક યુવાને 108ને જાણ કરી તેઓની મદદથી ચારેયને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે 14 વર્ષીય આયુષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડી.જેનાં કારીગર આકાશ રાયજા,પંકજ અરવિંદ પાડવા અને વીનેશ પારસિંગ વસાવાને ગંભીર ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.ઘટનાની જાણ માંડવીના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિને થતા તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા હતા

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.