સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત

માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું.

New Update
સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત

સુરત જિલ્લાના માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 યુવાનને 108ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સુરતના માંડવી તાલુકાના આંબલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશ વસાવા પત્ની અને બે પુત્રો સાથે રહે છે. ગતરોજ તેઓના ફળિયામાં રહેતા ધીરુભાઈ વસાવાની પુત્રી નિશાના લગ્ન હતા અને બીલીમોરાથી જાન આવી હતી જે જાનમાં રાકેશઅને તેનો 14 વર્ષીય મોટો પુત્ર આયુષ ગયા હતા. દરમિયાન આયુષ ડી.જે સાઉન્ડનાં સ્પીકર પર ડી.જે સાઉન્ડના અન્ય 3 કારીગરો સાથે બેઠો હતો. ડી.જે.નો ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ મારી રહ્યો હતો. દરમિયાન ઉપરથી પસાર થતો વિજતાર નજીક આવતા આયુષે હાથથી વિજતાર પકડી ઊંચો કરવા જતાં ઉપર બેસેલા ચારેયને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે ત્યાં હાજર એક યુવાને 108ને જાણ કરી તેઓની મદદથી ચારેયને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે 14 વર્ષીય આયુષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડી.જેનાં કારીગર આકાશ રાયજા,પંકજ અરવિંદ પાડવા અને વીનેશ પારસિંગ વસાવાને ગંભીર ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.ઘટનાની જાણ માંડવીના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિને થતા તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા હતા

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.