સુરત : માંડવી નજીક મુખ્ય કેનાલમાં પડ્યું 50 ફૂટ મોટું ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ

કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

New Update
સુરત : માંડવી નજીક મુખ્ય કેનાલમાં પડ્યું 50 ફૂટ મોટું ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામા-વિદેશીયા ગામ નજીક મુખ્ય કેનાલમાં 50 ફૂટથી પણ મોટું ગાબડું પડતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. તો બીજી તરફ, ખેડૂતોમાં પણ પોતાના પાકમાં મોટું નુકશાન જવાની ભીતિ સેવાય રહી છે. સુરત જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, ત્યારે માંડવીના નોગામા-વિદેશીયા ગામ નજીક મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. નોગામા નજીક કાંકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા સિંચાઈના પાણીનો વ્યય થયો છે. તો બીજી તરફ, કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Advertisment

જોકે, ગત રાત્રીના 10 વાગ્યાના અરસામાં મુખ્ય કેનાલમાં જ ગાબડું પડતાં નાસભાગ મચી હતી. કેનાલમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યો હતો. કેનાલની બાજુમાં આવેલા કોતરમાં નહેરનું અડધું પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન થયું હતું. મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં માંડવીના બૌધાન, વડેશિયા, અરેઠ, નોગામા સહિતના ગામોમાં શાકભાજીના પાકને નુકશાન થયું છે. તો બીજી તરફ, મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

જોકે, સમગ્ર બનાવવાની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવતા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ગાબડું પડ્યું છે, ત્યાં મરામતની કામગીરી શરૂ કરી હતી. જોકે, સદનસીબે કેનાલમાં ગાબડું પડતા હાલ સુધી કોઈ ઘરમાં પાણી ભરાયા નથી, તેમજ કોઈ જાનહાનિના સમાચાર પણ સામે આવ્યા નથી. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment
Latest Stories