સુરત : ધોરણ 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થીએ જન્મદિવસે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર

સુરતમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,

New Update
  • જન્મદિવસના દિવસે જ જીવનલીલા સંકેલી

  • 16વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત

  • જન્મદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ

  • પરિવારજનોમાં શોકનો છવાયો માહોલ

  • વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ

  • ઘટનામાં પોલીસે શરૂ કરી તપાસ

સુરતના ભેસ્તાનના વિજય લક્ષ્મી નગરમાં16વર્ષીય વિદ્યાર્થીએ જન્મદિવસના દિવસે જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.પિતા કેક લઈને ઘરે આવ્યા ત્યારે પુત્રએ ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા16વર્ષીય આશુતોષ ધોરણ9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,અને આશુતોષના પિતા આ ખુશીના અવસરને મનાવવા માટે કેક લેવા માટે ગયા હતા,અને પિતા કેક લઈને ઘરે આવ્યા તો ઘરની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ હેબતાઇ ગયા હતા,કારણ કે જે વ્હાલસોયા પુત્રનો જન્મદિવસ હતો તે પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.અને આ ખુશીનો માહોલ પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા,અને પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે આશુતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને16વર્ષીય વિદ્યાર્થીના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.