સુરત : ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટે આચરી રૂ. 1.55 કરોડની છેતરપિંડી, પોલીસે કરી ભેજાબાજની ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ CA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

New Update
  • કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવ્યો વધુ એક છેતરપિંડીનો કિસ્સો

  • ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટની છેતરપિંડી

  • કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર લોકો સામે પોલીસ ફરિયાદ

  • પોલીસે ભેજાબાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • ભોગ બનેલાઓએ કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ કરોડોની છેતરપિંડી આચરનાર અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જીલ્લામાં લોભામણી લાલચમાં આવી જતાં અનેક લોકો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાના કેટલાક કિસ્સાઓ અગાઉ સામે આવી ગયા છેત્યારે હવે ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ ચાર્ટડ એકાઉન્ટન્ટે છેતરપિંડી કરી હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં વધારે નફો મળશે અને ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. કાપોદ્રાના ચાર્ટર્ડ એકાઉન્ટ અને તેના સંબંધીઓ સહિત 7 લોકોએ સ્ટોક માર્કેટ અને મ્યુચલફંડમાં રોકાણ કરવામાં 1.55 કરોડની રકમ ગુમાવી હતી. જેને લઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર ઘુસા બાથાણીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માર્શલ કનુ સરખેદીપત્ની નિધી માર્શલ સરખેદીપિતા કનુ પ્રેમજી સરખેદી અને માતા રસીલા કનુ સરખેદી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

 ભેજાબાજ અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો. જોકેપોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જCA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ છેતરપિંડીનો આંકડો રૂ. 25 કરોડ સુધી પહોંચે તેવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 35થી વધુCA સહિત 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસને શક્યતા વર્તાઇ રહી છે. જોકેઅન્ય કોઈ ભોગ બનેલાઓને પણ કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.