સુરત : લિંબાયતમાં કાગળ-કાપડના ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ભારે જહેમતે આગ કાબુમાં આવી...

કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

New Update
  • લિંબાયતના ગોવિદનગર વિસ્તારમાં મોડી રાત્રે આગનો બનાવ

  • કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

  • આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો

  • આગના પગલે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

  • કલાકોની જહેમતે સમગ્ર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસારસુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે એક કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છેજ્યાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા પહેલા આગને વધુ પ્રસરતી રોકવામાં આવી હતી.

આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છેજેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે. હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાતનો શ્વાસ લીધો હતો.

ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી. આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 4 ફાયર વિભાગની 7 ફાયર ફાઇટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

જોકેત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બાળીને ખાખ કરી દીધું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ,વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

New Update
  • સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

  • દર્દીની સારવારમાં દાખવી બેદરકારી

  • હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ

  • મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • મનપાએ આપ્યા તપાસના આદેશ 

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલનાRMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.