સુરત : લિંબાયતમાં કાગળ-કાપડના ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ભારે જહેમતે આગ કાબુમાં આવી...

કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

New Update
  • લિંબાયતના ગોવિદનગર વિસ્તારમાં મોડી રાત્રે આગનો બનાવ

  • કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

  • આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો

  • આગના પગલે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

  • કલાકોની જહેમતે સમગ્ર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

 સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસારસુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે એક કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છેજ્યાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા પહેલા આગને વધુ પ્રસરતી રોકવામાં આવી હતી.

આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છેજેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે. હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાતનો શ્વાસ લીધો હતો.

ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી. આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 4 ફાયર વિભાગની 7 ફાયર ફાઇટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

જોકેત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બાળીને ખાખ કરી દીધું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.