Connect Gujarat
સુરત 

સુરત : 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરે તે પહેલા નરાધમ ઝડપાયો...

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી

X

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. જોકે, નરાધમ બાળકીના મૃતદેહનો નિકાલ કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

સુરત શહેરના કતારગામ વિસ્તારના વાળીનાથ ચોક ખાતે ગત તા. 7 ડિસેમ્બરના રોજ 7 વર્ષીય બાળકી ગુમ થઇ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકે નોંધાય હતી. આ દરમ્યાન બાળકીનો મૃતદેહ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી હતી. ઘરમાં રહેલા પેટી પંલગમાંથી બાળકીની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો.

સમગ્ર મામલે પોલીસે નરાધમ આરોપીની પૂછપરછ કરતા 2 દિવસ પહેલા નરાધમે સવારના અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાના રૂમમાં લઇ ગયો હતો, અને બાદમાં તેણીની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી બાળકીના મૃતદેહને પોતાના જ ઘરમાં રહેલી પેટી પંલગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હોવાનો ખુલાસો પોલીસ સમક્ષા કર્યો હતો. જોકે, આ આરોપી સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

Next Story