સુરત : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગેર’કાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.

New Update

સૈયદપુરામાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાનો મામલો

લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કર્યો : પોલીસ

પોલીસ દ્વારા 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરાય

સૈયદપુરામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત બાજ નજર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દૂર કરાયા

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરી છે. સૈયદપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છેજ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા.

Advertisment
1/38

સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. પોલીસે ટોળાંને વિખેરવા 10થી વધુ ટીયરગેસના સેલ છોડી લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસનાં ધાડેધાડાં ઉતારી કોમ્બિગ શરૂ કરાયું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. જોકેફરી કાંકરીચાળો ન થાય તે માટે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ-શેરીઓમાં એકત્ર થતાં ટોળા પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

સુરતના સૈયદપુરામાં ગણપતિ મંડળમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. તો બીજી તરફઆજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરા વિસ્તારમાં દબાણ થયેલી મિલકતો પર કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છેજ્યાં દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી હતીજ્યારે લારી-ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને પણ દૂર કરવામાં આવી રહી છે. શ્રીજી પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યુ હતું કેટોળાં વિરુદ્ધ 3 ગુન્હા દાખલ કરી કોમ્બિંગ દરમ્યાન 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ પોલીસ પર થયેલા હુમલાની કલમનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છેત્યારે હાલ તો તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશેતેવું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યુ હતું. વધુમાં સુરત પોલીસ દ્વારા લોકોને પણ અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.

Latest Stories