સુરત : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગેર’કાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.

New Update

સૈયદપુરામાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાનો મામલો

લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કર્યો : પોલીસ

પોલીસ દ્વારા 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરાય

સૈયદપુરામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત બાજ નજર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દૂર કરાયા

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરી છે. સૈયદપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છેજ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા.

સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. પોલીસે ટોળાંને વિખેરવા 10થી વધુ ટીયરગેસના સેલ છોડી લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસનાં ધાડેધાડાં ઉતારી કોમ્બિગ શરૂ કરાયું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. જોકેફરી કાંકરીચાળો ન થાય તે માટે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ-શેરીઓમાં એકત્ર થતાં ટોળા પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

સુરતના સૈયદપુરામાં ગણપતિ મંડળમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. તો બીજી તરફઆજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરા વિસ્તારમાં દબાણ થયેલી મિલકતો પર કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છેજ્યાં દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી હતીજ્યારે લારી-ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને પણ દૂર કરવામાં આવી રહી છે. શ્રીજી પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યુ હતું કેટોળાં વિરુદ્ધ 3 ગુન્હા દાખલ કરી કોમ્બિંગ દરમ્યાન 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ પોલીસ પર થયેલા હુમલાની કલમનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છેત્યારે હાલ તો તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશેતેવું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યુ હતું. વધુમાં સુરત પોલીસ દ્વારા લોકોને પણ અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

 

Read the Next Article

“જળમગ્ન” થઈ હીરાનગરી : સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ...

વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફ, ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું

New Update
  • સુરત શહેર તથા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

  • સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો

  • ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

  • પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસકર્મીઓએ રેસક્યું કર્યું

  • ટ્રાફિકજામની સ્થિતિ વચ્ચે પોલીસ જવાનો ખડેપગે તૈનાત 

રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છેત્યારે સુરતમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો.

સુરત શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે વરસાદ યથાવત રહ્યો છે. વહેલી સવારથી જ સુરતના અમરોલીકતારગામકાપોદ્રાજહાંગીરપુરાસરથાણાસળિયા હેમાદકોસમ ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સરથાણા વિસ્તારમાં આવેલી વાલમ નગર સોસાયટીમાં પાણી ભરાયા હતા. સોસાયટીમાં છાતી સમા વરસાદી પાણી ફરી વળતાં ફાયર વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્તોના રેસ્ક્યુ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રેક્ટર તેમજ બોટની મદદથી અસરગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

એટલું જ નહીંતંત્ર દ્વારા લોકોના આરોગ્યની સલામતી માટે તબીબોની ટીમ પણ મોકલવામાં આવી હતી. સુરતના કોસમ ગામમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાજ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરના કારણે સણીયા હેમાદ ગામ જળમગ્ન બન્યું હતું. ખાડીપૂરની સ્થિતિમાં પોલીસ લોકોના વ્હારે આવી હતી.

સરથાણા પોલીસ મથકના મહિલા ASIએ ગળાડૂબ પાણીમાં 3 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આ તરફસરથાણા પોલીસ મથક પણ પાણીમાં ગરકાવ થયું હતું. જોકેટ્રેક્ટર મારફતે પોલીસકર્મીઓ લોકોને મદદ કરી રહ્યા છે. જેના પગલે લોકોએ પણ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી. જોકેસુરત શહેરમાં વરસાદને લઈ અનેક જગ્યા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના સહારા દરવાજા, APMC માર્કેટ અને દિલ્લી ગેટ નજીક ટ્રાફિકજામ સર્જાતા પોલીસ અધિકારીઓ ટીમ સાથે નજરે પડ્યા હતા. આ સાથે જ લોકોને પણ આવી પરિસ્થિતિમાં વગર કામે બહાર ન નીકળવા અપીલ પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.