સુરત : 'તિરંગા પદયાત્રા' બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણનું તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા બાદ કરંજ ગામેથી વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.

New Update
સુરત : 'તિરંગા પદયાત્રા' બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણનું તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા બાદ કરંજ ગામેથી વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.

આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતના પીપલોદ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એક્સપ્રેસ વે નિર્માણકાર્ય સમીક્ષા કરી હતી.દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે.સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામે સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ એક્સપ્રેસ વે પ્રોજેકટની વીડિયો ફિલ્મને પણ નિહાળી હતી. દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતના વિકાસની નવી ચેતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ગણાવી હતી.

Read the Next Article

સુરત : સચિન જીઆઇડીસીમાં સગીર પુત્રએ ચપ્પુના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સચિનGIDCમાં હત્યાનો બનાવ

  • પાલી ગામમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

  • પુત્રએ ચપ્પુ વડે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

  • પિતાના અન્ય મહિલા સાથે આડાસંબંધની હતી શંકા

  • પોલીસે હત્યારા સગીરની કરી અટકાયત

Advertisment

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના સચિન જીઆઇડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે 17 વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો,અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.અને પિતા-પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેના કારણે ઉશ્કેરાયેલા સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો,અને પિતા ગંભીર રીતે ઘાયલ થઇને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા.સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરૂણ મોત નીપજ્યું હતું.પિતાના આડાસંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.