સુરત : ભારત બંધનું એલાન, ખેડુતોએ ચકમો આપી પોલીસને સતત દોડતી રાખી, ઠેર ઠેર ટાયરો સળગાવાયાં

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

New Update
સુરત : ભારત બંધનું એલાન, ખેડુતોએ ચકમો આપી પોલીસને સતત દોડતી રાખી, ઠેર ઠેર ટાયરો સળગાવાયાં

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિના ઉપરાંતથી ખેડુતો આંદોલન કરી રહયાં છે પણ સરકાર ઝુકવા તૈયાર નથી. સંયુક્ત કિસાન મોરચાએ સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના પગલે વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસ અને વિરોધ કરવા ખેડુતો સજજ બન્યાં હતાં. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંગરોળ, કામરેજ, બારડોલી સહિતના સ્થળોએ ખેડુતો સવારથી જ વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયાં હતાં.

સુરત જિલ્લાના અલગ અલગ તાલુકા મથકોએથી ખેડુતો ઓલપાડ ખાતે એકત્ર થયાં હતાં. ખેડુતો એકત્ર થયા હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. આગેવાનોની અટકાયત કરાતાં ખેડુતો રોષે ભરાયાં હતાં અને પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા શરૂ કરી દીધાં હતાં.

ભારત બંધના એલાનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત ભાજપ શાસિત રાજય હોવાથી ખેડુતોના વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. સુરત જિલ્લામાં ઠેર ઠેર પોલીસ અને ખેડુતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. સુરતના ઉભેળ ગામ નજીક નેશનલ હાઇવે પર ખેડુતોએ ટાયર સળગાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

સુરત જિલ્લામાં ખેડુતો કૃષિ કાયદાઓના વિરોધમાં આક્રમક જોવા મળ્યાં હતાં. મુંબઇ અને દિલ્હીને જોડતા નેશનલ હાઇવે પર કામરેજ પાસે પણ ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસને ચકમો આપી ખેડુતોએ હાઇવે પર ટાયરો સળગાવતાં થોડા સમય માટે વાહન વ્યવહાર ઉપર પણ અસર જોવા મળી હતી.

Read the Next Article

સુરત : પ્લેન ક્રેશ અંગે એવિયેશન એક્સપર્ટ દ્વારા વિમાનના ડેમો સાથે અકસ્માતની સંભાવના કરાઈ વ્યક્ત

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો

  • એવિયેશન એક્સપર્ટ દ્વારા આપવામાં આવી માહિતી

  • પ્લેન ક્રેશ અંગે વિવિધ શક્યતા કરાઈ વ્યક્ત 

  • વિમાનના ડેમો સાથે આપી માહિતી

  • કોકપીટ અંગે પણ આપી મહત્વપૂર્ણ માહિતી

સુરતના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની સંભાવનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.અને વિમાનના ડેમો સાથે અકસ્માત અંગેની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિમાનના ડેમો સાથે ઘટના કેવી રીતે સર્જાય હોવા અંગેની માહિતી આપવામાં આવી હતી. અને જુદી જુદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.જેમાં ફ્યુલ સપ્લાય,પ્લેનમાં પાવર સપ્લાય બંધ થયા હોવાની શકયતાઓને વ્યક્ત કરવામાં આવી હતી,આ ઉપરાંત પાયલોટના કોકપીટ ફંક્શન અંગેની માહિતી સાથે કોકપીટ સમજાવતો ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો.