સુરત : હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, રત્ન કલાકારોની કથડતી સ્થિતિ ચિંતાનો વિષય..!

સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.

New Update

આપઘાતને અંજામ આપતા પહેલાં યુવકે વીડિયો પણ બનાવ્યો
કહ્યું : હીરામાં મંદીના કારણે જાઉં છું, બાળકોનું ધ્યાન રાખજો...

સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે, જે રત્ન કલાકારોની કથડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે. હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે. જેને લઈને રત્ન કલાકારો સહિત સૌકોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો.

 મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના સતરાવા ગામના રહેવાસી અને હાલ સુરત-કામરેજના શેખપુર ગામે આવેલા હરીદર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મનસુખ સૌદરવા હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે હીરામાં મંદી હોવાના કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા.

આખરે ગત તા. 1 જાન્યુઆરી-2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. રત્ન કલાકારે આપઘાત કરતા પહેલાં વિડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે. આ સાથે જ દુ:ખભર્યા સ્વરે મારા બાળકોનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યો છે. સમગ્ર બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.

તો બીજી તરફ, ઘટના અંગે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં હડતાળ યોજી સરકાર સામે સહાયની પણ માંગ કરી હતી, જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.

જોકે, હાલ રત્ન કલાકારોની કથડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે, મદદ નહીં કરે તો આ આંકડો વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Read the Next Article

સુરત : હની ટ્રેપની માયાજાળમાં ફસાયો રત્નકાર,રૂપિયા 6 લાખથી વધુની લૂંટ ચલાવનાર મશરૂ ગેંગનો પર્દાફાશ

સુરતના અમરોલીમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને એક યુવતી સહિત ત્રણ શખ્સોએ ભેગા મળી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.

New Update
  • હની ટ્રેપનો આતંક મચાવતી મશરૂ ગેંગ

  • શહેરમાં હનીટ્રેપ કરતી 29 ગેંગ સક્રિય

  • આ ભેજાબાજો દ્વારા 5 હજાર લોકોને કર્યા ટાર્ગેટ

  • યુવતી સહિતની ગેંગે રત્નકલાકારને બનાવ્યો શિકાર

  • અલગ અલગ ગેંગમાં 10થી વધુ યુવતીઓ સક્રિય

  • પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ

સુરતના અમરોલીમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને એક યુવતી સહિત ત્રણ શખ્સોએ ભેગા મળી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.યુવકને બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી અને તેનું અપહરણ કરી માર મારી તેમની પાસેથી એક મોબાઈલ તથા રૂપિયા 6 લાખ મળી કુલ રૂપિયા 6.15 લાખની લૂંટ કરી પૈસા પડાવી લીધા હતા. આ ઘટનામાં કતારગામ પોલીસે યુવતી સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ ખાતે આવેલ સૃષ્ટિ રો હાઉસની પાછળ રહેતા 41 વર્ષીય બિપિન હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 16 જુલાઈ 2025ના રોજ બપોરે સવા એકથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓને એક મહિલા તથા ત્રણ શખ્સો ભેટી ગયા હતા. તેઓએ કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી વડલા બસ પાર્કિંગમાં રોડ ઉપર મળવાના બહાને બોલાવી ધર્મિષ્ઠા ઉર્ફે રૂપા રાખોલીયાએ તેને બ્લેકમેલ કરી ધમકાવ્યા હતા.

આ ઉપરાંત તેની સાથે રહેલ સુમિત મશરૂ અને અમિત મશરૂ નામના યુવકો તથા અન્ય એક અજાણ્યા શખ્સે પણ તેમની સાથે ભેગા મળી બિપિન રૂડકીયાને બળાત્કારના કેસમાં તથા ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. બિપિને તેની પાસે રૂપિયા એક કરોડ ન હોવાનું કહેતા ધર્મિષ્ઠા તથા સુમિત અને અમિત ભેગા મળી બિપિન પાસેથી રૂપિયા 15,000નો મોબાઈલ તથા રોકડા રૂપિયા 6 લાખ મળી કુલ રૂપિયા 6.15 લાખની લૂંટ કરી હતી,અને પૈસા પચાવી પાડી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે બિપિને ફરિયાદ નોંધાવતા પોલીસે કતરગામમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે હની ટ્રેપની માયાજાળ ફેલાવતી અલગ અલગ 29 જેટલી ગેંગ સક્રિય છે,અને આ ભેજાબાજોએ 5 હજાર લોકોને શિકાર બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે.

બાઈટ :