સુરત : ચોક બજારના CNI ચર્ચ ખાતે ક્રિસમસની ભવ્ય ઉજવણી કરાય, ખ્રિસ્તી સમાજ દ્વારા એકમેકને શુભેચ્છા પાઠવાય...

સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પ્રાર્થના સભા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

New Update
  • પ્રેમકરુણાત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુ

  • ભગવાન ઈસુની જન્મજયંતિ નિમિત્તે ક્રિસમસની ભવ્ય ઉજવણી

  • ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ક્રિસમસની ઉજવણી

  • શહેરભર ચર્ચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન

  • ક્રિસમસ પર્વ નિમિત્તે એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતીજ્યાં પ્રાર્થના સભા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પ્રેમકરુણાત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ખ્રિસ્તી સમાજના લોકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરના દિવસે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છેત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ખાસ કરીને મીની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું છેજ્યાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઇ હતી. અહીં આજના દિવસે વહેલી સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એટલું જ નહીંતા. 25 ડિસેમ્બર-2024થી લઈને તા. 1 જાન્યુઆરી-2025 સુધી ક્રિસમસ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.