સુરત : રેલવે સ્ટેશન નજીક નવા સીટી બસ ટર્મિનલનું નિર્માણ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું…

સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરાયો

  • રેલવે સ્ટેશન નજીક નવું સીટી બસ ટર્મિનલનું નિર્માણ

  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું

  • ટર્મિનલ સવારે 4થી રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે

  • આ સેવાનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો

Advertisment W3.CSS

સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છેત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેર તથા જિલ્લાના પરિવહન તંત્રને સુ-વ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝીઝ હબ બનાવવામાં આવ્યું છે. જેમાં રેલવે, GSRTC, સીટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર પ્રતિદિન 20 હજારથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન નજીક નવું સીટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સીટી બસ દોડી રહી છે. એટલે કેદરરોજની 4,500 ટ્રીપ આ બસો દ્વારા હંકારવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સીટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read the Next Article

સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

Advertisment W3.CSS

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.