સુરત : રેલવે સ્ટેશન નજીક નવા સીટી બસ ટર્મિનલનું નિર્માણ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું…

સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરાયો

  • રેલવે સ્ટેશન નજીક નવું સીટી બસ ટર્મિનલનું નિર્માણ

  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું

  • ટર્મિનલ સવારે 4થી રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે

  • આ સેવાનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો

Advertisment

સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છેત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેર તથા જિલ્લાના પરિવહન તંત્રને સુ-વ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝીઝ હબ બનાવવામાં આવ્યું છે. જેમાં રેલવે, GSRTC, સીટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર પ્રતિદિન 20 હજારથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન નજીક નવું સીટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સીટી બસ દોડી રહી છે. એટલે કેદરરોજની 4,500 ટ્રીપ આ બસો દ્વારા હંકારવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સીટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment