સુરત : લક્ઝરી કારના કાફલા સાથે રેલી કાઢીને વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ સર્જાયો,પોલીસે શરૂ કરી તપાસ

ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢી હતી,જે ઘટના વિવાદનું કેન્દ્ર બની છે,અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • વિદ્યાર્થીઓના સીન સપાટાનો મામલો

  • 30 લકઝરી કારમાં કાઢી હતી રેલી

  • બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી પહેલા કાઢી રેલી 

  • ટ્રાફિકના નિયમોનો કર્યો છડેચોક ભંગ

  • પોલીસે શરૂ કરી કાર્યવાહી 

સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢી હતી,જે ઘટના વિવાદનું કેન્દ્ર બની છે,અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાંધીધામમાં વિદ્યાર્થીઓએ કાર સાથે જોખમી સ્ટંટ કર્યા હતા,અને કચ્છ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ કાર્યવાહી કરવામાં આવી હતી,હજી આ તાજી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ થઇ નથી,ત્યાં જ ગાંધીધામની ઘટનાનું પુનરાવર્તન સુરત ઓલપાડ સ્કૂલની ઘટનામાં થયું છે.

સુરતના જહાંગીરપુરાના ડીમાર્ટ થી ઓલપાડના નરથાનની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી 30 લક્ઝરી કાર સાથેની રેલી દરમિયાન શુટ-બુટમાં સજ્જ વિદ્યાથીઓ કારના સનરૂફ માંથી માથું બહાર કાઢીને જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા.આ સાથે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓની આ રેલી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. જાણવા મળ્યા મુજબ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આવી કોઈ જ પરમિશન આપવામાં આવી નહોતી,જ્યારે પોલીસ દ્વારા પણ ઘટનામાં જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : કર્મનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞોપવિત કરી ધારણ

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

New Update
  • રક્ષાબંધન ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ

  • કર્મનાથ મહાદેવ ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ

  • શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ

  • બ્રાહ્મણોએ નવી યજ્ઞોપવિત કરી ધારણ

  • ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વની ઉજવણી

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા'શ્રાવણી ઉપાકર્મવિધિનું આયોજન કરવામાં આવે છેજેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિપ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.

સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી.આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો.

આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યસુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છેજ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધને જ નહીંપરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે.