સુરત : ભટારમાં ધર્મ પરિવર્તનની ઘટનાથી ચકચાર,દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાના આક્ષેપ

સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,

New Update
  • ભટાર વિસ્તારની ચર્ચાસ્પદ ઘટના

  • દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકારના આક્ષેપ

  • બીમાર યુવકને ખ્રિસ્તી ધર્મ અપનાવવા જણાવાયુ

  • ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો સાજો થઈ જશેની લાલચ આપી

  • યુવક મોતને ભેટતા તેમની અંતિમ વિધિ માટે કોફીન પણ લાવ્યા

  • હિન્દુ મહાસભા દ્વારા વિરોધ કરીને વિધર્મીઓને ભગાડ્યા 

સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઇ જશે તેવી લાલચ આપવામાં આવી હતી.

સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈ હતી.એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઈ જશે તેમ કહી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાતુ હોવાનો હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો હતો.યુવકનું બીમારી બાદ મોત થતા આજે ફરી ચર્ચથી અમુક લોકો દબાણ કરવા આવ્યા હોવાનો પણ હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો હતો.હિન્દુ મહાસભાનો આરોપ છે યુવકના મોત બાદ ચર્ચથી અમુક લોકો કોફીન લઈને આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ અનુસાર યુવકની અંતિમવિધી કરવા પરિવારજનોને દબાણ કરતા હતા.

જો કે આ વાતની જાણ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.અને ચર્ચથી આવેલા લોકોને ત્યાંથી તગેડી મુક્યા હતા.તેમજ ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા દબાણ ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. 

Read the Next Article

સુરત: ફાર્મ હાઉસમાં કેફી પદાર્થ પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરતી પોલીસ

નરાધમ યુવકે યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પદાર્થ પીવડાવીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો,જે ઘટનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી

New Update
  • વરાછામાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ

  • ફાર્મ હાઉસમાં લઈ જઈ કેફી પદાર્થ પીવડાવી આચર્યું દુષ્કર્મ

  • દુષ્કર્મનો વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી

  • ઘટના સંદર્ભે પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

  • પોલીસે કરી નરાધમ આરોપીની ધરપકડ કરી

સુરતમાં સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતામાં સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી.નરાધમ યુવકે યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પદાર્થ પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો,જે ઘટનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી તેના મિત્રો મારફતે વરાછા સીતાનગર અર્ચના રોડ પર આવેલ ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા હાર્દિક ઘુસાભાઈ કાછડના સંપર્કમાં સોશિયલ મીડિયાથી આવી હતી. ત્યારબાદ હાર્દિકે તેની સાથે વાતચીત કરી મિત્રતા કરી હતી,અને કિશોરીને પોતાની વાતોમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. હાર્દિક તેને ફરવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો.જ્યાં કિશોરીને નશીલા પદાર્થવાળુ પીણું પીવડાવી દીધું હતું.

નશીલા પીણાના કારણે કિશોરી અર્ધ બેભાન થઈ જતા તેના બિભત્સ ફોટાઓ પાડી લઈ મોબાઈલમાં વીડિયો ઉતારી લીધા હતા,અને ત્યારબાદ આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ફક્ત એટલું જ નહીં પરંતુબાદમાં અવારનવાર તેને આ ફોટો-વીડિયોના આધારે બ્લેકમેઈલ કરી મળવા માટે બોલાવી શારીરિક સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો.

વધુમાં હાર્દિકનો મિત્ર સની નામના યુવકે પણ અવારનવાર કિશોરીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી આ વાતની જાણ ઘરે કે પોલીસને કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને યુવકો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી હાર્દિક કાછડની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.