-
ભટાર વિસ્તારની ચર્ચાસ્પદ ઘટના
-
દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકારના આક્ષેપ
-
બીમાર યુવકને ખ્રિસ્તી ધર્મ અપનાવવા જણાવાયુ
-
ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો સાજો થઈ જશેની લાલચ આપી
-
યુવક મોતને ભેટતા તેમની અંતિમ વિધિ માટે કોફીન પણ લાવ્યા
-
હિન્દુ મહાસભા દ્વારા વિરોધ કરીને વિધર્મીઓને ભગાડ્યા
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઇ જશે તેવી લાલચ આપવામાં આવી હતી.
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈ હતી.એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઈ જશે તેમ કહી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાતુ હોવાનો હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો હતો.યુવકનું બીમારી બાદ મોત થતા આજે ફરી ચર્ચથી અમુક લોકો દબાણ કરવા આવ્યા હોવાનો પણ હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો હતો.હિન્દુ મહાસભાનો આરોપ છે યુવકના મોત બાદ ચર્ચથી અમુક લોકો કોફીન લઈને આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ અનુસાર યુવકની અંતિમવિધી કરવા પરિવારજનોને દબાણ કરતા હતા.
જો કે આ વાતની જાણ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.અને ચર્ચથી આવેલા લોકોને ત્યાંથી તગેડી મુક્યા હતા.તેમજ ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા દબાણ ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.