સુરત : ન્યુ સિટીલાઇટ રોડ પર થયેલા 90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશથી કરી ધરપકડ

સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી

New Update
સુરત : ન્યુ સિટીલાઇટ રોડ પર થયેલા 90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશથી કરી ધરપકડ

સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી.

સુરત શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરી થઈ હતી. જેમાં ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી અંદર આવી ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લીધી હતી અને ત્યાંથી રૂ. 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારે રાત્રીના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બાબતે બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ક્રાઇમબ્રાંચે 10 દિવસમાં ચોરો પૈકી બેને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે. ચોરીમાં 15 દિવસ પહેલાં નોકરી છોડી ગયેલા એમપાલ મંડલોઇ અને તેના ભાઇ નેપાલ મંડલોઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી લઇ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. વતનમાં રહેતી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા. જે ખર્ચ પૂરો કરવા માટે એમપાલે બિલ્ડરની ઓફિસમાં હાથ માર્યો હતો અને સાથે જ પોતાના પરિવાર પર દેવું હતું. જે બાબતે ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુપ્ત ઓપરેશન ગોઠવી એમપાલ સહિત તેના નાના ભાઇ નેપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથા ધરી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.