-
આતંકી હુમલામાં શૈલેષ કળથીયાનું નીપજ્યું હતું મોત
-
શૈલેષભાઈનો મૃતદેહ સુરત લાવવામાં આવ્યો
-
મૃતક શૈલેષભાઈની અંતિમયાત્રા યોજાઈ
-
મૃતકના પત્નીએ કેન્દ્રીય મંત્રી સમક્ષ ઠાલવી વ્યથા
-
દહેશત અંગે પુત્રએ જણાવી ચોંકાવનારી હકીકત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં કરૂણ મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચડ્યું હતું,જ્યારે તેમના પુત્ર નક્ષે દહેશત અંગે ચોંકાવનારી હકીકત જણાવી હતી,આ દુઃખદ ક્ષણે કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા,જેમાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા શૈલેષ કળથીયાનો મૃતદેહ મોડી રાત્રે સુરત ખાતે લાવવામાં આવ્યો હતો,અને આજરોજ સવારના તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી,આ ક્ષણે મૃતક શૈલેષભાઈના પરિવારજનો સહિત મિત્રો તેમજ સૌ કોઈ શોકમગ્ન થઇ ગયા હતા,જ્યારે શૈલેષભાઈની અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળસંચય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો જોડાયા હતા,અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
શૈલેષ કળથીયાની અંતિમયાત્રામાં ભારત માતાકી જયના નારા લાગ્યા હતા,અને તેમના સુરતના અબ્રામા કઠોર ખાતેના સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.આ દુઃખદ પ્રસંગે મૃતક શૈલેષ કળથીયાના પુત્ર નક્ષે નજરે નિહાળેલી દર્દનાક હિચકારી ઘટનાની ચોંકાવનારી હકીકત જણાવી હતી.
શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળ સંચય મંત્રી સી આર પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,મહાનગરપાલિકાના મેયર સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા,અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.આ દુઃખદ પ્રસંગે મૃતક શૈલેષભાઈના પત્નીના આક્રોશનો પણ નેતાઓએ સામનો કરવો પડ્યો હતો.શૈલેષ કળથીયાની અંતિમયાત્રા નીકળેએ પહેલા તેમની પત્નીએ વ્યથા ઠાલવતાં કહ્યું કે આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે મુસ્લિમોને કંઇ ન કર્યું અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઉભા કરીને બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો રહ્યો હતો આતંકી. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે.