સુરત : આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા પરિવારના આપઘાતથી અરેરાટી વ્યાપી,લેણદારો હેરાન કરતા હોવાનું અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ

સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.

New Update
  • હચમચાવતી સામુહિક આપઘાતની ઘટના

  • માતાપિતા અને પુત્રએ ભર્યું અંતિમ પગલું

  • આર્થિક સંકડામણમાં પરિવારે વખ ધોળ્યું 

  • પોલીસને મળી અંતિમ ચિઠ્ઠી

  • લેણદારોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ

સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાજ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં રહેતા આર્થિક સંકડામણના લીધે ભરતભાઇ સસાંગિયા (પિતા)વનિતા સસાંગિયા (માતા) અને પુત્ર હર્ષ સસાંગિયાએ ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભર્યું હતું.જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ માતા પિતા અને પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુ હોસ્પિટલના તબીબોએ પરિવારને મૃત જાહેર કર્યો હતો.

આ અંગેની જાણ થતાની સાથે પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પોલીસ તપાસમાં ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છેજેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.આ ઘટનામાં અમરોલી પોલીસે ત્રણેયના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગને બુઝાવતી વેળા વધુ એક બ્લાસ્ટ, 2 ફાયરના જવાનો ઘાયલ

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.

New Update
  • પુણા વિસ્તારના એક મકાનના ત્રીજા માળે આગ લાગી

  • ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ આગ ફાટી નીકળતા દોડધામ

  • ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોને પણ ઇજા

  • આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન સિલિન્ડર બ્લાસ્ટ

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફાયરના 2 જવાનો સારવાર હેઠળ

સુરત શહેરના પુણા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતાતે દરમિયાન અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાયર વિભાગના 2 જવાનોને ગંભીર ઈજા પહોચી હતી.

મળતી માહિતી અનુસારસુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છેજ્યાં 3 માળનું એક મકાન આવેલું છે. જેમાં ત્રીજા માળે કેટલાક રૂમ કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં એમ્બ્રોડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છેત્યારે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતાઅને રસોઈ બનાવવાની કામગીરી શરૂઆત કરે તે પહેલા જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ ફાટી નીકળી હતી. જોકેરૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા.

બનાવના પગલે પુણાકાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો. આ સમયે અચાનક જ અન્ય એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.

Latest Stories