સુરત : આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા પરિવારના આપઘાતથી અરેરાટી વ્યાપી,લેણદારો હેરાન કરતા હોવાનું અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ

સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.

New Update
  • હચમચાવતી સામુહિક આપઘાતની ઘટના

  • માતાપિતા અને પુત્રએ ભર્યું અંતિમ પગલું

  • આર્થિક સંકડામણમાં પરિવારે વખ ધોળ્યું 

  • પોલીસને મળી અંતિમ ચિઠ્ઠી

  • લેણદારોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ

Advertisment

સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાજ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં રહેતા આર્થિક સંકડામણના લીધે ભરતભાઇ સસાંગિયા (પિતા)વનિતા સસાંગિયા (માતા) અને પુત્ર હર્ષ સસાંગિયાએ ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભર્યું હતું.જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ માતા પિતા અને પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુ હોસ્પિટલના તબીબોએ પરિવારને મૃત જાહેર કર્યો હતો.

આ અંગેની જાણ થતાની સાથે પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પોલીસ તપાસમાં ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છેજેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.આ ઘટનામાં અમરોલી પોલીસે ત્રણેયના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment