સુરત : 23 વર્ષીય મોડેલ યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ઘ, માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છે, ત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

New Update
  • શહેરમાં વધુ એક 23 વર્ષીય મોડેલ યુવતીનો આપઘાત

  • યુવતીએ પંખે લટકી આપઘાત કરતાં પરિવાર સ્તબ્ઘ

  • માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા

  • યુવતીએ કોઈ સુસાઇડ નોટ લખી નથી : સુરત પોલીસ

  • અઠવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વધુ તપાસ

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છેત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડેલ યુવતીએ પંખે લટકી આપઘાત કરી લેતાં પરિવાર સ્તબ્ઘ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસારશહેરના નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતાએક ભાઈ અને એક બહેન છે. પિતા અલ્પેશભાઈ વરમોરા GEBની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. 2 વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી.

અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડેલિંગની દુનિયામાં પગ મુક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતીજ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતીઅને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતીએમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. જોકેઆપઘાતનું પગલું ભરનાર અંજલિ દ્વારા કોઈ સુસાઇડ નોટ પણ લખવામાં આવી નથીજેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકેઆ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.