સુરત : ખાડી પૂરે ટેક્સટાઇલ માર્કેટમાં સર્જી તારાજી,સાડી અને સામાન પલળી જતા 100 કરોડના નુકસાનનો અંદાજ

સુરતમાં ખાડીપુરના કારણે રઘુકુલ સહિતના 8 માર્કેટમાં ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાયા હતા.જેના કારણે અંદાજિત 500 જેટલી દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

New Update
  • ખાડીપૂરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા 

  • ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડીઓ પલળી

  • પલળેલી સાડી દુર્ગંધ મારતા વેપારીઓ પરેશાન 

  • નંગના ભાવે વેચાતી સાડી કિલો ભાવે વેચી રહ્યા છે વેપારી

  • 500 દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ

સુરતમાં ખાડીપુરના કારણે રઘુકુલ સહિતના 8 માર્કેટમાં ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાયા હતા.જેના કારણે અંદાજિત 500 જેટલી દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.અને વેપારીઓ નંગ પર વેચાતી સાડી કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપુરે વિવિધ વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે.ખાસ કરીને રઘુકલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડફ્લોરમાં ખાડીપુરના પાણી ભરાય ગયા હતા.જેના પરિણામે દુકાનોમાં સાડી સહિતનો સમાન પલળી ગયો હતો.અને વેપારીઓએ મોટુ નુકશાન થવા પામ્યું છે.હાલ વેપારીઓ દુર્ગંધ મારતી સાડીઓ દોરી પર સૂકવવા માટે પંખાનો સહારો લઈ રહ્યા છે.તેમજ જે સાડી રૂપિયા 100, 500,1000, 1500 કે 2000થી વધુના ભાવે વેચાતી હતી,તે સાડી વેપારીઓ રૂપિયા 50થી રૂપિયા 100ના કિલોના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે.જાણવા મળ્યા મુજબ 500થી વધુ દુકાનમાં અંદાજિત 100 કરોડના નુકસાનનો અંદાજ લગાવાય રહ્યો છે.
Latest Stories