સુરત : વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે બપોરે 1થી 3:30 સુધી તમામ સિગ્નલ રહેશે બંધ...

બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

New Update
  • શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય

  • વાહનચાલકોની સલામતી - રક્ષણ માટે લેવામાં આવ્યો નિર્ણય

  • બપોરે 1થી 3.30 કલાક સુધી તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

  • હવેલોકો હિટવેવ અને લુથી બચી શકશે : DCP, ટ્રાફિક વિભાગ

  • ટ્રાફિક વિભાગના નિર્ણયથી સુરતવાસીઓએ પણ કરી સરાહના

સુરત શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિ વચ્ચે સુરતવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં તમામ મુખ્ય અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે 1થી 3:30 વાગ્યા સુધી બંધ રહેશે. એટલે કેઆ સમયમાં વાહનચાલકોને સિગ્નલ પર ઉભા રહેવાની ફરજ પડશે નહીંઅને તેઓ સિગ્નલ નિયમ વગર અવરજવર કરી શકશે.

આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ રહેતી હોય છે. જેથી આ નિર્ણય માત્ર રાહત પૂરતો નથીપણ લોકોને ગરમીના કારણે થતી અસ્વસ્થતાલૂ તથા તાપ સંબંધી તકલીફોથી બચાવશે તેવું સુરત શહેર ટ્રાફિક વિભાગના DCPએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : બારડોલીની મહિલા જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ રોગની ઝપેટમાં આવી, આરોગ્ય તંત્ર દોડતું થયું...

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે.

New Update
  • અતંરિયાળ વિસ્તારોમાં લેપ્ટોસ્પાયરોસીસ તરખાટ જોવા મળ્યો

  • દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં હાહાકાર મચાવતો રોગ

  • જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસમાં બારડોલીની મહિલા ઝપેટમાં આવી

  • મહિલાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાય

  • શહેર તથા જિલ્લામાં એક દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે.

ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતના અતંરિયાળ વિસ્તારોમાં લેપ્ટોસ્પાયરોસીસ તરખાટ જોવા મળતો હોય છે, ત્યારે આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતના સુરત જીલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. બારડોલીની એક મહિલા લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સપડાઈ જતાં તેણીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાયરોસીસના કુલ 5 કેસ અને ગત વર્ષ 2024માં કુલ 22 દર્દી પૈકી 5 દર્દીના મોત થયા હતા, ત્યારે હવે સુરતમાં લેપ્ટોસ્પાયરોસીસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.