સુરત : વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે બપોરે 1થી 3:30 સુધી તમામ સિગ્નલ રહેશે બંધ...

બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

New Update
  • શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય

  • વાહનચાલકોની સલામતી - રક્ષણ માટે લેવામાં આવ્યો નિર્ણય

  • બપોરે 1થી 3.30 કલાક સુધી તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

  • હવેલોકો હિટવેવ અને લુથી બચી શકશે : DCP, ટ્રાફિક વિભાગ

  • ટ્રાફિક વિભાગના નિર્ણયથી સુરતવાસીઓએ પણ કરી સરાહના

Advertisment

સુરત શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિ વચ્ચે સુરતવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં તમામ મુખ્ય અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે 1થી 3:30 વાગ્યા સુધી બંધ રહેશે. એટલે કેઆ સમયમાં વાહનચાલકોને સિગ્નલ પર ઉભા રહેવાની ફરજ પડશે નહીંઅને તેઓ સિગ્નલ નિયમ વગર અવરજવર કરી શકશે.

આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ રહેતી હોય છે. જેથી આ નિર્ણય માત્ર રાહત પૂરતો નથીપણ લોકોને ગરમીના કારણે થતી અસ્વસ્થતાલૂ તથા તાપ સંબંધી તકલીફોથી બચાવશે તેવું સુરત શહેર ટ્રાફિક વિભાગના DCPએ જણાવ્યુ હતું.

Advertisment
Latest Stories