સુરત : વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે બપોરે 1થી 3:30 સુધી તમામ સિગ્નલ રહેશે બંધ...

બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

New Update
  • શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય

  • વાહનચાલકોની સલામતી - રક્ષણ માટે લેવામાં આવ્યો નિર્ણય

  • બપોરે 1થી 3.30 કલાક સુધી તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

  • હવેલોકો હિટવેવ અને લુથી બચી શકશે :DCP, ટ્રાફિક વિભાગ

  • ટ્રાફિક વિભાગના નિર્ણયથી સુરતવાસીઓએ પણ કરી સરાહના

સુરત શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિ વચ્ચે સુરતવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં તમામ મુખ્ય અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે 1થી 3:30 વાગ્યા સુધી બંધ રહેશે. એટલે કેઆ સમયમાં વાહનચાલકોને સિગ્નલ પર ઉભા રહેવાની ફરજ પડશે નહીંઅને તેઓ સિગ્નલ નિયમ વગર અવરજવર કરી શકશે.

આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ રહેતી હોય છે. જેથી આ નિર્ણય માત્ર રાહત પૂરતો નથીપણ લોકોને ગરમીના કારણે થતી અસ્વસ્થતાલૂ તથા તાપ સંબંધી તકલીફોથી બચાવશે તેવું સુરત શહેર ટ્રાફિક વિભાગનાDCPએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.