-
નવા વર્ષથી પોલીસ કરશે કાર્યવાહી
-
ટ્રાફિક નિયમનું કરવું પડશે પાલન
-
નિયમ તોડવા પર થશે કાર્યવાહી
-
જાહેરમાં ગંદકી કરનાર સામે થશે FIR
-
શાળા કોલેજોમાં જાગૃતતા અભિયાન યોજાશે
સુરત શહેરમાં નવ વર્ષથી વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્ત રીતે કરવું પડશે.પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં પોલીસ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ એક બેઠક મળી હતી,જેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં વર્ષ 2025 માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં નવા વર્ષથી વાહન ચાલકોએ ચુસ્તપણે ટ્રાફિક નિયમનું પાલન કરવું પડશે,જો વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે જાહેર રસ્તા પર સ્પિટિંગ કરનાર લોકો સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.જેમાં CCTVની મદદથી પોલીસ ગંદકી કરનારને શોધીને ફરિયાદ દર્જ કરશે.અને શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવશે.આ સમગ્ર બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી.