સુરત : પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા,પેપ્સી,ફ્રૂટી સહિત અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે.

New Update
  • પાંડેસરામાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા

  • ઝાડાઉલટી સહિત તાવના વધી રહ્યા છે ચિંતા જનક કેસ

  • લોકોના સ્વાસ્થ્યને હાનિકારક ઠંડાપીણાનો જથ્થો ઝડપાયો

  • મોટી માત્રામાં પેપ્સીફ્રુટીનો નાશ કરવામાં આવ્યો

  • દુકાનદારો માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા

  • આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ફફડાટ

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે. મનપાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણુ વેચી રહ્યા હતા. આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સીફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણુ હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે. બરફની પેપ્સીફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સીફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણુ વધુ પસંદ કરતા હોય છે. પાંડેસરાઉધનાડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છેજેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે. પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રુડ1 હજારથી વધુ પેપ્સી7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્ય અધિકારી પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કેઆરોગ્ય વિભાગે 80 કિલો ખાદ્ય પદાર્થો1000થી વધુ પેપ્સીની બોટલો અને 7 લીટર ફ્રુટી કબજે કરી નાશ કર્યો હતો. હાલ પાંડેસરાઉધના અને ડિંડોલી વિસ્તારમાં ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો નોંધાયો છે.

Read the Next Article

સુરત : કર્મનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞોપવિત કરી ધારણ

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

New Update
  • રક્ષાબંધન ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ

  • કર્મનાથ મહાદેવ ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ

  • શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ

  • બ્રાહ્મણોએ નવી યજ્ઞોપવિત કરી ધારણ

  • ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વની ઉજવણી

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા'શ્રાવણી ઉપાકર્મવિધિનું આયોજન કરવામાં આવે છેજેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિપ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.

સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી.આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો.

આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યસુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છેજ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધને જ નહીંપરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે.