સુરત : પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા,પેપ્સી,ફ્રૂટી સહિત અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે.

New Update
  • પાંડેસરામાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા

  • ઝાડાઉલટી સહિત તાવના વધી રહ્યા છે ચિંતા જનક કેસ

  • લોકોના સ્વાસ્થ્યને હાનિકારક ઠંડાપીણાનો જથ્થો ઝડપાયો

  • મોટી માત્રામાં પેપ્સીફ્રુટીનો નાશ કરવામાં આવ્યો

  • દુકાનદારો માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા

  • આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ફફડાટ

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે. મનપાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણુ વેચી રહ્યા હતા. આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સીફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણુ હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે. બરફની પેપ્સીફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સીફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણુ વધુ પસંદ કરતા હોય છે. પાંડેસરાઉધનાડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છેજેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે. પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રુડ1 હજારથી વધુ પેપ્સી7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્ય અધિકારી પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કેઆરોગ્ય વિભાગે 80 કિલો ખાદ્ય પદાર્થો1000થી વધુ પેપ્સીની બોટલો અને 7 લીટર ફ્રુટી કબજે કરી નાશ કર્યો હતો. હાલ પાંડેસરાઉધના અને ડિંડોલી વિસ્તારમાં ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો નોંધાયો છે.

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.