સુરત: હીરા દલાલની પત્નીએ પોતાના પુત્ર સાથે ઝેરના પારખા કર્યા,પોલીસનો તપાસનો ધમધમાટ

સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update

સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ઉત્રાણ ખાતે રોયલ બીલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિ ધામત 26 વર્ષીય પત્ની પાયલ અને વર્ષીય પુત્ર માહિર સાથે રહેતા હતા.બપોરે પોતાની માતા અને બહેન સાથે વિડીયો કોલ કરીને હસી મજાક કર્યા હતા,તેમજ નવરાત્રીમાં પુત્ર માટે કપડા લીધા હતા તે પણ બતાવ્યા હતા,જોકે ત્યાર બાદ પાયલે પુત્ર માહિરને ઝેરી દવા પીવડાવીને પોતે પણ પીધી હતી,અને ઉલ્ટી થવા લાગતા પતિ રવિને  ફોન કરીને બોલાવ્યો હતો,અને રવિ દ્વારા પત્ની અને પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા,જોકે માતા અને પુત્ર મોતને ભેટ્યા હતા,ઘટના અંગે ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી,અને પાયલનો મોબાઈલ ફોન પણ પોલીસે કબ્જે લઈને વધુ તપાસ શરૂ કરી છે.માતા પુત્રના આપઘાત પાછળનો ભેદ ઉકેલવા માટે પણ પોલીસ તમામ પાસા ચકાસી રહી છે.

 

Read the Next Article

સુરત : પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો પરિચિત યુવક,પોલીસે કરી આરોપીની ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

New Update
  • પાંડેસરામાં વધુ એક દુષ્કર્મની ઘટના

  • ધો.9માં અભ્યાસ કરતી દીકરી બની દુષ્કર્મનો ભોગ

  • ઘરેથી બુક લેવા નીકળેલી દીકરી સાથે દુષ્કર્મ 

  • પાડોશમાં રહેતા યુવકે જ આચર્યું દુષ્કર્મ

  • પોલીસે નરાધમ યુવકની કરી ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીર બાળા કે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે,જોકે વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે નીકળી હતી,ત્યારે તેના પાડોશમાં રહેતા યુવકે બદઇરાદા પૂર્વક સગીરાને પોતાની બાઈક પર બેસાડીને અવાવરુ જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું,અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે લોહી નીકળતા તેને ગંભીર હાલતમાં કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.જોકે યુવતી ઘરે પહોંચતા તેના લોહીથી લથપથ કપડા જોતા પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.અને પરિવારજનો દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ઘટના અંગેની હકીકત બહાર આવી હતીઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી,જે ફરિયાદને આધારે પોલીસે નરાધમ આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.