સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીની RTOમાં સરપ્રાઈઝ વિઝીટ, કચેરીમાં ગેરરીતિ થતી હોવાની ઉઠી છે ફરિયાદો..!

આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સુરત RTO કચેરી ખાતે પહોંચતા સરકારી અધિકારીઓ દોડતા થયા હતા.

New Update
સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીની RTOમાં સરપ્રાઈઝ વિઝીટ, કચેરીમાં ગેરરીતિ થતી હોવાની ઉઠી છે ફરિયાદો..!

આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સુરત RTO કચેરી ખાતે પહોંચતા સરકારી અધિકારીઓ દોડતા થયા હતા. તો બીજી તરફ, હર્ષ સંઘવીની સરપ્રાઈઝ વિઝીટથી RTO સ્ટાફ પણ હરકતમાં આવી ગયો હતો.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળ્યા છે. આજે સવારે તેઓ સુરતના પાલ RTOની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આ તકે તેઓએ RTO કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી. તો હર્ષ સંઘવી RTO કચેરી ખાતે પહોંચ્યા હોવાની જાણ થતાં જ સરકારી બાબુઓ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પાલ આરટીઓ ખાતે પહોચીને હર્ષ સંઘવીએ અલગ અલગ વિભાગમાં વિઝીટ કરીને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. તો RTO કચેરી ખાતે લાયસન્સ, નંબર પ્લેટ સહિતના કામ અર્થે આવેલા અરજદારોની સાથે પણ ચર્ચા કરી હતી, અને તેમની ફરિયાદ સાંભળી હતી. જોકે, RTO કચેરીમાં ગેરરીતિ થતી હોવાની અનેક ઉઠી ફરિયાદો ઉઠી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરપ્રાઈઝ વિઝીટ કરી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.