સુરત : નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તે માટે એસ.ટી. નિગમ એક્સ્ટ્રા બસો દોડાવશે : હર્ષ સંઘવી

દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે, 

New Update

દિવાળીના તહેવારોમાં એસ.ટી. નિગમ દ્વારા વિશેષ સુવિધા

નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તેવું આયોજન

એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપાય વિસ્તૃત માહિતી

લોકો ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકશે : હર્ષ સંઘવી

દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છેત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકો પોતાના ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

સુરતથી સૌરાષ્ટ્ર તરફ માદરે વતન જવા માટે દિવાળી વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોનો ધસારો હોય છેજેને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી. આજથી સૌરાષ્ટ્ર તરફ જનારી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રપંચમહાલઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી 26થી 30 ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા 2200 જેટલી એસ.ટી.બસો ઉપડશેત્યારે ખાનગી બસ ચાલકોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કેઆજથી દોઢ મહિના પહેલા જ આ બાબતે બેઠક યોજાય હતી. જેમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસોમાં ન જવું પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લોકો પોતાના ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીંલોકો આખી બસ બુકિંગ કરે તો તેઓને ગુજરાત એસ.ટી.ની બસો તેમના ઘર આંગણે લેવા જાય અને તેમના વતન સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી બસોના ભાડાને લઈને આ વખતે દોઢ મહિના પહેલા જ આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવી હતી.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.