સુરત : નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તે માટે એસ.ટી. નિગમ એક્સ્ટ્રા બસો દોડાવશે : હર્ષ સંઘવી

દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે, 

New Update

દિવાળીના તહેવારોમાં એસ.ટી. નિગમ દ્વારા વિશેષ સુવિધા

નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તેવું આયોજન

એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપાય વિસ્તૃત માહિતી

લોકો ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકશે : હર્ષ સંઘવી

દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છેત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકો પોતાના ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

સુરતથી સૌરાષ્ટ્ર તરફ માદરે વતન જવા માટે દિવાળી વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોનો ધસારો હોય છેજેને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી. આજથી સૌરાષ્ટ્ર તરફ જનારી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રપંચમહાલઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી 26થી 30 ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા 2200 જેટલી એસ.ટી.બસો ઉપડશેત્યારે ખાનગી બસ ચાલકોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કેઆજથી દોઢ મહિના પહેલા જ આ બાબતે બેઠક યોજાય હતી. જેમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસોમાં ન જવું પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લોકો પોતાના ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીંલોકો આખી બસ બુકિંગ કરે તો તેઓને ગુજરાત એસ.ટી.ની બસો તેમના ઘર આંગણે લેવા જાય અને તેમના વતન સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી બસોના ભાડાને લઈને આ વખતે દોઢ મહિના પહેલા જ આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવી હતી.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.