સુરત : સચિનમાં ઉદ્યોગપતિને નહેરમાં કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની મળી ધમકી,બે આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી,

New Update
  • સચીનમાં ઉદ્યોગપતિ પાસે ખંડણી માગવાનો મામલો

  • કેમિકલ નહેરમાં ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી

  • બે ખંડણીખોરોએ રૂપિયા 5 કરોડની માંગી હતી ખંડણી

  • RTI કરીને ઉદ્યોગપતિને કરતા હતા બ્લેકમેલ

  • ક્રાઈમ બ્રાન્ચે કરી બંને ખંડણીખોરોની ધરપકડ 

  • પોલીસે રૂપિયા 51.40 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી,અને રૂપિયા 5 કરોડની માંગણી કરી હતી,જે ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા 51.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ખંડણીખોરોની ધરપકડ કરી હતી.

સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસીમાં એક ઉદ્યોગપતિને બે ખાંડણીખોરો દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી,જેમાં તેઓએ ઉદ્યોગપતિને ઝેરી કેમિકલ નહેરમાં  ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી,અને જો કેસમાં ન પડવું હોય તો પતાવટ પેટે રૂપિયા 5 કરોડની ખંડણી માંગી હતી.જે અંગે કંપનીના ડાયરેક્ટર મહેન્દ્ર ધીરજલાલ સોમલિયાએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી,અને ક્રાઇમ બ્રાન્ચને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી.જે ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું,અને ખંડણીખોરો રૂપિયા 45 લાખની ખંડણી વસૂલવા જતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી હતી.આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રોકડા રૂપિયા 45 લાખ,એક કારબેગ એમ કુલ મળી રૂપિયા 51 લાખ 40 હજાર 950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં ખંડણીખોરોRTI કરીને ઉદ્યોગપતિને બ્લેકમેલ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું,હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરત : યવુતીના આપઘાત મામલામાં દુષ્પ્રેરણ કરનાર સગીરવયના આરોપીની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

New Update
  • કતારગામમાં યુવતીના આપઘાતનો મામલો

  • 19 વર્ષીય આશાસ્પદ યુવતીએ કર્યો હતો આપઘાત

  • પરિવારજનોએ દીકરીને હેરાન કરનાર પર કર્યા હતા આક્ષેપ

  • પોલીસે સગીરવયના યુવક અને તેના પિતાને દબોચી લીધા 

  • પોલીસે યુવક અને યુવતીના ફોન તપાસ અર્થે FSLમાં મોકલ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડીયાના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દર્જ કર્યો હતો,અને આરોપી સગીરવયના યુવકની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.જોકે નેનુએ ગત તારીખ  13/07/2025ના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જોકે નેનુએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી,અને સૌ કોઈ દ્વિધામાં હતા કે નેનુએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હશે.!

પોલીસે પ્રથમ તો આ ઘટનામાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જોકે યુવતીના પિતા અને તેના ભાઈએ એક યુવક પર નેનુને પરેશાન કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા.અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારબાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો હતો.

આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છેજ્યારે સગીરવયના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટેFSLમાં મોકલવામાં આવ્યો છેજેથી મેસેજકોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં પાટીદાર યુવતી નેનુના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.દેસાઈ સમાજના આગેવાન સહિત સમાજના લોકોએ ભેગા મળીને ઘટના અંગે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે નેનુ અને યુવક બંને એકબીજાના સંપર્કમાં હતા,અને એકબીજાથી ખુબજ સારી રીતે પરિચિત હતા,યુવક અને યુવતી વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ પણ તેઓએ પોલીસ કમિશનર સમક્ષ રજુ કર્યા હતા.અને જણાવ્યું હતું કે યુવકે યુવતીને સોશિયલ મીડિયા  પર બ્લોક કરી દીધા બાદ તેણીએ તેને ઈમેલ દ્વારા મેસેજ કર્યા હતા,જેના સ્ક્રીનશોર્ટ પણ રજુ કરવામાં  આવ્યા હતા,અને પોલીસ અટકાયતમાં રહેલા યુવક અને તેના પિતાને મુક્ત કરવાની માંગ કરી હતી.