સુરત : સચિનમાં ઉદ્યોગપતિને નહેરમાં કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની મળી ધમકી,બે આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી,

New Update
  • સચીનમાં ઉદ્યોગપતિ પાસે ખંડણી માગવાનો મામલો

  • કેમિકલ નહેરમાં ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી

  • બે ખંડણીખોરોએ રૂપિયા 5 કરોડની માંગી હતી ખંડણી

  • RTI કરીને ઉદ્યોગપતિને કરતા હતા બ્લેકમેલ

  • ક્રાઈમ બ્રાન્ચે કરી બંને ખંડણીખોરોની ધરપકડ 

  • પોલીસે રૂપિયા 51.40 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી,અને રૂપિયા 5 કરોડની માંગણી કરી હતી,જે ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા 51.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ખંડણીખોરોની ધરપકડ કરી હતી.

સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસીમાં એક ઉદ્યોગપતિને બે ખાંડણીખોરો દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી,જેમાં તેઓએ ઉદ્યોગપતિને ઝેરી કેમિકલ નહેરમાં  ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી,અને જો કેસમાં ન પડવું હોય તો પતાવટ પેટે રૂપિયા 5 કરોડની ખંડણી માંગી હતી.જે અંગે કંપનીના ડાયરેક્ટર મહેન્દ્ર ધીરજલાલ સોમલિયાએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી,અને ક્રાઇમ બ્રાન્ચને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી.જે ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું,અને ખંડણીખોરો રૂપિયા 45 લાખની ખંડણી વસૂલવા જતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી હતી.આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રોકડા રૂપિયા 45 લાખ,એક કારબેગ એમ કુલ મળી રૂપિયા 51 લાખ 40 હજાર 950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં ખંડણીખોરો RTI કરીને ઉદ્યોગપતિને બ્લેકમેલ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું,હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.