સુરત : પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોને મળ્યો ન્યાય,શીતલ કળથીયા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.

New Update
  • પહેલગામમાં થયો હતો આતંકી હુમલો

  • 28 નિર્દોષ નાગરિકોના નિપજ્યા હતા મોત

  • ભારતીય સેનાએ હુમલાનો લીધો બદલો

  • થલ અને વાયુ સેનાએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું

  • આતંકી ઠેકાણાઓને કર્યા ધ્વસ્ત 

  • 90 આતંકીઓનો કરાયો સફાયો

  • સુરતના શૈલેષ કળથીયાના પત્નીએ આપ્યું નિવેદન

  • ભારતીય સેનાએ મૃતકોને અપાવ્યો ન્યાય

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારા આતંકી હુમલામાં 28 નિર્દોષ નારગિકોએ જીવ ગુમાવ્યા હતા,બદલામાં ભારત દ્વારા એર સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણા અને આતંકીઓને ઉડાવી દીધા હતા.ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લીધેલા બદલાને  મૃતક શૈલેષ કળથીયાની પત્નીએ આવકર્યો હતો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.જોકે આ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતની થલ અને વાયુ સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના ઠેકાણા ઉડાવી દીધા હતા.અને આ હુમલામાં 90 જેટલા આતંકીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભારત દ્વારા મધ્યરાત્રી બાદ પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર હેઠળની કાર્યવાહીને પહેલગામમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથીયાની પત્ની શીતલ કળથીયાએ ભારત સરકારની ઓપરેશન સિંદૂરની કાર્યવાહીને બિરદાવી હતી.અને ભારતીય સેનાએ આતંકી હુમલામાં મોતને ભેટેલા નાગરિકોનાં મોતનો બદલો લઈને ન્યાય અપાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
Read the Next Article

સુરત : પુણામાં કાપડના વેપારી પર ચપ્પુથી હુમલો કરનાર શખ્સની ધરપકડ, પોલીસ ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા..

New Update
  • પુણામાં કાપડના વેપારી પર હુમલાનો મામલો 

  • યુવકે ચપ્પુથી કર્યો હતો જીવલેણ હુમલો 

  • વેપારી યુવકની પત્નીને કરતો હતો મેસેજ 

  • પોલીસે હુમલાખોર યુવકની કરી ધરપકડ 

  • આરોપીનું સરઘસ કાઢીને રિકંસ્ટ્રક્શન કરાયું 

સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવકે કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીવટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. આ સાથે યુવકને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

સુરતના પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ-પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રૂદ્ર ક્રિએશનના નામે લેલપટ્ટી-કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 18 જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી-પુણા લેસપટ્ટીનો માલ લેવા ગયો હતો. જ્યાંથી માલ લઇ મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા. જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતોપણ ગંભીર ઇજા પહોંચી હતી.લોહીલુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા.કાપડ વેપારી હિતેશની પત્નીને મોબાઇલમા મેસેજ કરતો હોવાની રીસ રાખીને હિતેશે હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. 

Latest Stories