-
હીરા વેપારીઓના ધરણા મામલે તપાસકર્તા કમિટીનો સર્વે
-
કે.પી. સંઘવી ડાયમંડ કંપની સામેના વિવાદમાં મોટી રાહત
-
કંપનીના કોર કમિટીના નિર્ણયથી હીરા વેપારીને મોટી રાહત
-
12માંથી 8 હીરા વેપારીના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો
-
ચેક રિટર્ન કેસ પરત ખેંચવામાં આવશે : કંપની કોર કમિટી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને તેના લેણદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો નાણાકીય વિવાદ હવે સમાધાન તરફ આગળ વધતાં વેપારી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કે.પી.સંઘવી ડાયમંડ કંપનીમાંથી વર્ષ 2019માં વરાછા સ્થિત કે.પી.સંઘવી ડાયમંડ કંપનીમાંથી દલાલો અને હીરા વેપારીઓએ 5 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીના હીરા ખરીદ્યા હતા. કુલ મૂલ્ય આશરે 8 કરોડ રૂપિયાથી વધુ થતી હતી. આ રકમનો મોટો ભાગ હજુ સુધી પેન્ડિંગ છે. રફ હીરાની ખરીદી બાદ વ્યાપારમાં મંદી અને ત્યારબાદ કોરોનાની મહામારીના કારણે ભારે આર્થિક નુકશાન થતાં કેટલાક દલાલોએ નાદારી જાહેર કરી હતી.
આ વિવાદના પડઘા સુરતના વેપાર વર્ગમાં વ્યાપક રીતે પડ્યા હતા. ત્યારબાદ ડાયમંડ એસોસિયેશનની મધ્યસ્થીથી કેટલાક વેપારીઓએ દરદાગીના, મિલકત વેચાણ તથા અન્ય સાધનો વડે કંપનીનો હિસ્સો ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કંપની તરફથી આપવામાં આવેલા સિક્યુરિટી ચેક ડિપોઝિટ કરીને રિટર્ન કરાવવાના કેસો દાખલ કરાયા હતા. તો બીજી તરફ, આ મામલે વેપારી પરિવાર દ્વારા ધરણાં પ્રદર્શન પણ યોજાયા હતા.
જોકે, સમગ્ર વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યું જ્યારે કે.પી.સંઘવી ડાયમંડ કંપની દ્વારા એક કોર કમિટી રચવામાં આવી. આ કમિટીએ વિવાદગ્રસ્ત તમામ 12 હીરા વેપારીઓનો વર્તમાન આર્થિક સર્વે હાથ ધરી રહ્યો. આ સર્વેમાં સામે આવ્યું કે, 8 વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે, અને તેમણે અગાઉ પણ ચુકવણી માટે જેહમત ઉઠાવી છે. જેના આધારે કોર કમિટીએ તેમણે રાહત આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે વેપારીઓના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.