સુરત : મોટા વરાછા વિસ્તારમાં મનપાએ ડોમ બનાવીને ભાડે આપતા સ્થાનિકોનો વિરોધ,50 સોસાયટીના લોકોએ યોજી રેલી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોમ ઉભા કરીને ભાડે આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો,અને 50 સોસાયટીના લોકોએ ભેગા મળીને રેલી કાઢી પાલિકાની નીતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.

New Update
  • મોટા વરાછા વિસ્તારમાં સ્થાનિક લોકોમાં રોષ

  • મનપાની ડોમ નીતિ સામે ઉગ્ર વિરોધ

  • 50 જેટલી સોસાયટીના પ્રમુખોએ યોજી રેલી

  • પાલિકાએ ડોમ બનાવી ભાડે આપતા સ્થાનિકોનો વિરોધ

  • મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા

  • સ્થાનિકોએ પાલિકા પાસે ગાર્ડનની કરી હતી માંગ

Advertisment

સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોમ ઉભા કરીને ભાડે આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો,અને 50 સોસાયટીના લોકોએ ભેગા મળીને રેલી કાઢી પાલિકાની નીતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા પાસે સ્થાનિક લોકો દ્વારા સુંદર ગાર્ડન બનાવવાની માંગ કરવામાં આવી હતી.જોકે સ્થાનિક લોકોની વાતને ધ્યાને ન લઈને મનપા દ્વારા ડોમ ઉભા કરવામાં આવ્યા છે,અને ભાડે આપીને આવક ઉભી કરવામાં આવી છેપાલિકાની વેપારી નીતિ સામે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો,અને 50 જેટલી સોસાયટીના સ્થાનિક લોકોએ ભેગા મળીને મનપાની ડોમ નીતિ સામે રેલી કાઢીને ઉગ્ર વિરોધ કર્યો હતો.જોકે પોલીસ પરવાનગી વગર રેલી કાઢવામાં આવતા પોલીસે 7 જેટલા લોકોની અટકાયત કરી હતી.જેના કારણે ઉતરાણ પોલીસ મથક બહાર લોક ટોળા ઉમટી પડ્યા હતા,અને મોડી રાત સુધી પોલીસ મથક પર લોક ટોળાની જમાવટ રહી હતી,પરંતુ પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment