સુરત: સિવિલ હોસ્પિટલમાં નિર્ભયા દુષ્કર્મ આરોપીનું પોલીસ બંદોબસ્ત સાથે કરાયુ તબીબી પરીક્ષણ

ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

New Update
  • ચકચારી નિર્ભયા દુષ્કર્મ ઘટનાનો મામલો

  • સુરત સિવિલમાં આરોપીનું કરાયુ તબીબી પરીક્ષણ

  • પોલીસ જાપ્તા સાથે આરોપીને પરીક્ષણ અર્થે લવાયો

  • રેસિડેન્ટ ડોકટરે પરીક્ષણ કરવા કરી મનાઈ

  • RMOની સૂચના બાદ આરોપીનો કરાયો પોટેન્શીયલ ટેસ્ટ

  • 10 વર્ષીય માસુમ સાથે આચર્યું હતું દુષ્કર્મ

  • આઠ દિવસની સારવાર બાદ બાળકીએ લીધા હતા અંતિમ શ્વાસ 

Advertisment

ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં શ્રમિક પરિવારની માસુમ દીકરી સાથે જધન્ય કૃત્યની ઘટના બની હતી,અને વિજય પાસવાન નામના નરાધમે ક્રૂરતાની તમામ હદ વટાવીને રાક્ષસી  કૃત્યને અંજામ આપ્યો હતો,ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આઠ દિવસની સઘન સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.બીજી તરફ અંકલેશ્વર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિજય પાસવાનના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા,તેમજ પોલીસને આરોપીનો પોટેન્શીયલ ટેસ્ટ કરવાની પરવાનગી આપી હતી.

ભરૂચ પોલીસના જાપ્તા હેઠળ આરોપી વિજય પાસવાનને આજરોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો,અને તેનો પોટેન્શીયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે,અને વહેલી તકે પોલીસ કોર્ટમાં આરોપનામું રજૂ કરશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જોકે સમગ્ર ઘટનામાં જાણવા મળ્યા મુજબ આરોપી વિજય પાસવાનનો  પોટેન્શીયલ  ટેસ્ટ કરવાની સુરત સિવિલ હોસ્પિટલના સર્જરીના રેસિડેન્ટ ડોકટરેના કહી દીધુ હતું. અને જેના કારણે ટેસ્ટમાં વિલંબ થયો હતો.આ અંગેની ફરિયાદ સિવિલ હોસ્પિટલના AP-HOD અને RMOને કરવામાં આવી હતી.ત્યારબાદ RMO દ્વારા અન્ય વ્યવસ્થા કરીને આરોપીનો પોટેન્શીયલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.પરંતુ આ સમગ્ર સમય દરમિયાન આરોપીની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઇ હતી.

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment