સુરત : કાપડ પરનો જીએસટી ઘટાડવા મંત્રી દર્શના જરદોશને રજુઆત, મંત્રીએ આપ્યું આશ્વાસન

રાજયકક્ષાના કાપડમંત્રી દર્શના જરદોશને વેપારીઓ તથા ઉદ્યોગકારોએ કાપડ પર લાગતાં જીએસટીના દરોમાં કરાયેલાં વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી.

New Update
સુરત : કાપડ પરનો જીએસટી ઘટાડવા મંત્રી દર્શના જરદોશને રજુઆત, મંત્રીએ આપ્યું આશ્વાસન

સુરતમાં યાર્ન એકસ્પોનું ઉદઘાટન કરવા આવેલાં રાજયકક્ષાના કાપડમંત્રી દર્શના જરદોશને વેપારીઓ તથા ઉદ્યોગકારોએ કાપડ પર લાગતાં જીએસટીના દરોમાં કરાયેલાં વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી.

સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે આયોજીત યાર્ન એકસ્પોનું રવિવારના રોજ ઉદઘાટન કરાયું. જેમાં કેન્દ્ર સરકારના કાપડ વિભાગના રાજયકક્ષાના મંત્રી દર્શના જરદોશ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. કેન્દ્ર સરકારે કાપડ પર લાગતાં જીએસટીમાં એકાએક 7 ટકાનો વધારો ઝીંકી દીધો છે. અગાઉ 5 ટકા જીએસટી લાગતો હતો તે હવે વધારીને 12 ટકા કરી દેવાયો છે. વેપારીઓ તથા ઉદ્યોગકારોએ મંત્રી દર્શના જરદોશને આ બાબતે રજુઆત કરી હતી. દર્શના જરદોશે જીએસટી ઘટાડવા નાણામંત્રીએ રજુઆત કરાશે તેવી ખાતરી આપી છે.

હવે વાત કરીશું યાર્ન એકસ્પોની.. આ એકસ્પોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઇના ફાયબરમાંથી બનાવવામાં આવેલા યાર્નનું નિર્દશન કરાયું છે. ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે ચેમ્બર ખાસ કિસ્સામાં સ્ટોલની ફાળવણી કરાય છે.જેમાં કેળા અને મકાઈના રેસામાંથી સોથી પહેલા યાર્ન બનાવવામાં આવે છે. ત્યારબાદ આ યાર્નમાંથી પગ- લુછણિયા અને કાગળ બનાવવામાં આવ્યા છે.

ટેકસટાઇલ યાર્ન એક્સપોમાં સુરત સહિત દેશભરમાંથી ૭પથી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહયાં છે. દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવી યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિકને ત્રણ દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવશે.

Read the Next Article

સુરત : કર્મનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞોપવિત કરી ધારણ

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

New Update
  • રક્ષાબંધન ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ

  • કર્મનાથ મહાદેવ ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ

  • શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ

  • બ્રાહ્મણોએ નવી યજ્ઞોપવિત કરી ધારણ

  • ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વની ઉજવણી

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા'શ્રાવણી ઉપાકર્મવિધિનું આયોજન કરવામાં આવે છેજેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિપ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.

સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી.આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો.

આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યસુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છેજ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધને જ નહીંપરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે.