સુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે

New Update
સુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું

આજે વિશ્વ પર્યાવરણ દિન છે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણની સાથે શહેરીજનોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે, ૧૪૩ જેટલા દેશો તેમાં જોડાયા છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

ઉધના ઝાંસીકી રાણી બાગ ખાતે વૃક્ષારોપણની સાથે શહેરીજનોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ આજથી શહેરના તમામ ઝોનમાં શહેરીજનોને વિનામૂલ્યે છોડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેમ બોઘાવાલા, નગરસેવકો મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત સ્થાનિક લોકો જોડાયા હતા

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment