સુરત : આપ રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિ સમાજનો વિરોધ

સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું

New Update
સુરત : આપ રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિ સમાજનો વિરોધ

સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું

Advertisment W3.CSS

વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં અનેક પ્રકારના રાજકીય વિરોધ પ્રદર્શનો અને સમર્થકોનો કાર્યક્રમો સામે આવતા રહે છે. સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળા દહન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરી રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આપના સંગઠન દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો. આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા માત્ર બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચાનો સંગઠન કરવામાં આવ્યું છે. દલિત સમાજ સાથે સંકળાયેલા સમતા સૈનિક દળ દ્વારા ગોપાલ ઇટાલિયાના પૂતળા દહન કરીને આમ આદમી પાર્ટીની માનસિકતા ઉપર પ્રશ્ન ઉભો કર્યો છે.

Latest Stories