સુરત: રોંગ સાઇડથી દોડતા વાહનચાલકો સામે પોલીસની કાર્યવાહી

સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.

New Update

સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી 

રોંગ સાઇડથી દોડતા વાહન ચાલકો દંડાયા

પોલીસ કમિશનરે વિશેષ અભિયાન શરૂ કર્યું

અગાઉ 4000 થી પણ વધુ લાયસન્સ થયા છે સસ્પેન્ડ    

પોલીસે 25 ટીમ બનાવીને શરૂ કરી કાર્યવાહી 

સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.
સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેમાં પોલીસ કમિશનર દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.શહેરના વરાછા મુખ્ય રોડ પરથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી.જાણવા મળ્યા મુજબ રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અને 830 જેટલા રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા
હતા.પોલીસ દ્વારા આ અભિયાન અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે.જ્યારે ગત મહિનામાં પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 1767 લોકોને ટ્રાફિકના નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને અગાઉ રોંગ સાઈડ વાહન હંકારતા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી.અને આ બેજવાબદાર તમામ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા RTO ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
Read the Next Article

સુરત : પ્લેન ક્રેશ અંગે એવિયેશન એક્સપર્ટ દ્વારા વિમાનના ડેમો સાથે અકસ્માતની સંભાવના કરાઈ વ્યક્ત

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો

  • એવિયેશન એક્સપર્ટ દ્વારા આપવામાં આવી માહિતી

  • પ્લેન ક્રેશ અંગે વિવિધ શક્યતા કરાઈ વ્યક્ત 

  • વિમાનના ડેમો સાથે આપી માહિતી

  • કોકપીટ અંગે પણ આપી મહત્વપૂર્ણ માહિતી

સુરતના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની સંભાવનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.અને વિમાનના ડેમો સાથે અકસ્માત અંગેની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિમાનના ડેમો સાથે ઘટના કેવી રીતે સર્જાય હોવા અંગેની માહિતી આપવામાં આવી હતી. અને જુદી જુદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.જેમાં ફ્યુલ સપ્લાય,પ્લેનમાં પાવર સપ્લાય બંધ થયા હોવાની શકયતાઓને વ્યક્ત કરવામાં આવી હતી,આ ઉપરાંત પાયલોટના કોકપીટ ફંક્શન અંગેની માહિતી સાથે કોકપીટ સમજાવતો ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો.