સુરત: રોંગ સાઇડથી દોડતા વાહનચાલકો સામે પોલીસની કાર્યવાહી

સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.

New Update

સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી 

Advertisment

રોંગ સાઇડથી દોડતા વાહન ચાલકો દંડાયા

પોલીસ કમિશનરે વિશેષ અભિયાન શરૂ કર્યું

અગાઉ 4000 થી પણ વધુ લાયસન્સ થયા છે સસ્પેન્ડ    

પોલીસે 25 ટીમ બનાવીને શરૂ કરી કાર્યવાહી 

સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.
Advertisment
સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેમાં પોલીસ કમિશનર દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.શહેરના વરાછા મુખ્ય રોડ પરથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી.જાણવા મળ્યા મુજબ રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અને 830 જેટલા રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા
હતા.પોલીસ દ્વારા આ અભિયાન અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે.જ્યારે ગત મહિનામાં પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 1767 લોકોને ટ્રાફિકના નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને અગાઉ રોંગ સાઈડ વાહન હંકારતા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી.અને આ બેજવાબદાર તમામ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા RTO ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment