સુરત : ઓરિસ્સાથી ટ્રેન મારફતે લવાયેલા 33 કિલો ગાંજા સાથે 5 લોકોની પોલીસે કરી ધરપકડ…

સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

નશાના કાળા કારોબારનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ

પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો

પોલીસે 33 કિલો ગાંજા સાથે 5 લોકોની ધરપકડ કરી

ઓરિસ્સાથી ટ્રેન મારફતે લાવવામાં આવતો હતો ગાંજો

NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાય

સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર તથા જીલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતની પાંડેસરા પોલીસે બાટલી બોય વિસ્તારમાંથી 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી પાઇલોટિંગ કરતો હતોજ્યારે અન્ય 4 આરોપીઓ ઓટોરીક્ષામાં ગાંજો લાવતા હતા. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે ગાંજો લાવતા હતા. જોકેગાંજાની સ્મેલ ન આવે તે માટે ગાંજાને કપડામાં બાંધી તેના પર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતા. આ ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે 2 કપલ દ્વારા આ ગાંજો સુરત લાવવામાં આવતો હતો. છેલ્લા 6 મહિનામાં 3 વખત આ રીતે ઓરિસ્સાથી સુરત ગાંજાનો વેપલો ચલાવવામાં આવ્યો હતોત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધNDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.