સુરત : ઓલપાડના ખેડૂતને જમીન પર લોન આપવાનું કહી રૂપિયા 2 કરોડની છેતરપિંડી,ભેજાબાજની પોલીસે કરી ધપરકડ

સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી

New Update
  • ઓલપાડના ખેડૂતને લોન લેવી પડી મોંઘી

  • ભેજાબાજોએ લોનના નામે આચરી છેતરપિંડી

  • જમીન પર 2 કરોડની લોન આપવાનું જણાવી કરી છેતરપિંડી

  • જમીનનો વેચાણ દસ્તાવેજ પણ લખવી લીધો હતો

  • પોલીસે એક આરોપીની કરી ધરપકડ,અન્ય ફરાર

સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી,જેમાં ભેજાબાજે જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો,આખો મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સુરતના ઓલપાડ તેના ગામમાં જમીન દલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.અને સુરતના કતારગામ ખાતે કાંતેશ્વર સોસાયટીમાં રહેતા જમીન દલાલ મહેશ મનજી ગોળકીયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.જેના આધારે પોલીસે દિલીપસિંહ વખતસંગ વાળામેહુલ કીરીટસિંહ જાદવહરદતસિંહ જયદેવ સિંહ જાદવબહાદુરસિંહ જયવીરસિંહ જાદવજયરાજસિંહ વનરાજસિંહ જાદવ સામે ગુનો નોંધ્યો છે.

આ ઘટનામાં ઇકો સેલ દ્વારા આરોપી દિલીપસિંહ વખતસંગ વાળાની ધરપકડ કરી હતી.અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.