સુરત: વાહન ચેકીંગમાં બગાસુ ખાતા પોલીસને પતાસું હાથ લાગ્યું,14 કિલો સોના સાથે બે શખ્સોની કરી ધરપકડ

સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.

New Update
  • સારોલી પોલીસને મળી વાહન ચેકિંગમાં સફળતા

  • પોલીસે 14 કિલો કિં.રૂ.8 કરોડનું સોનુ કબજે કર્યું

  • સોના સાથે બે શખ્સોની કરી ધરપકડ

  • કાપડમાં સંતાડીને સોનાનું લઇ જવામાં આવતું હતું

  • પોલીસે સઘન તપાસનો શરૂ કર્યો ધમધમાટ

Advertisment W3.CSS

સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.

સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું,તે દરમિયાન એક કાર પોલીસને શંકાસ્પદ જણાય આવી હતી,તેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી કાપડની અંદર સંતાડેલુ સોનુ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે 14 કિલો શંકાસ્પદ સોનુ કિંમત રૂપિયા 8 કરોડના જથ્થા સાથે બે શખ્સો હિરેન ભટ્ટી અને મનજી ધામેલીયાની ધરપકડ કરી હતી,અને સોનાનાં જથ્થા સંદર્ભે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા,પરંતુ તેઓ પોલીસને કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.પોલીસ તપાસમાં મહિધરપુરા થી ઉભેળ ખાતે કોઈ ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું.હાલ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને શંકાસ્પદ સોના પાછળનો ઉદ્દેશ્ય જાણવા માટેની કવાયત હાથ ધરી છે.

 

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.