સુરત : આત્મહત્યાના બનાવોને રોકવા પોલીસ દ્વારા કમિટીની રચના, NGOને સાથે રાખી કામગીરી કરાશે...

સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

New Update
  • માનસિક તાણના કારણે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો

  • શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકાશે

  • સુરત પોલીસ દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી

  • કમિટી દ્વારાNGOને સાથે રાખી કામગીરી કરવામાં આવશે

  • મહત્વતા આપી આવા કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો

સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારાNGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

હાલના કપરા સમયમાં ધંધા-રોજગારવેપારમાં મંદી સહિત અને પ્રકારની સમસ્યાઓના કારણે સર્જાતી માનસિક તાણના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યાં છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં આત્મહત્યા રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ઘરેથી ભાગી ગયેલા લોકોને શોધવા માટે પણ એકNGO સાથે રાખી પોલીસે કવાયત હાથ ધરી છે.

આ સાથે જ તેઓ કેમ ઘર છોડીને બહાર નીકળી ગયા તે પણ જાણવા પોલીસ કામગીરી કરશેઅને ત્યારબાદ તેમની સમસ્યાનું નિવારણ લાવવા પણ સુરત પોલીસ પ્રયાસ કરશે. જે સ્થળે વારંવાર અકસ્માત થાય તે સ્થળને રેડ ઝોન જાહેર કરી સુધારવાના પ્રયત્નો કરવામાં આવશે. ખાસ ડ્રગ્સ વેંચતા અને લેતા લોકોના વિસ્તારમાં અભ્યાસ અને તેઓને ટ્રેસ કરી સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. વર્ષ 2025માં પોલીસ આ કાર્યોને મહત્વતા આપી આવા કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરશે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.