સુરત : આત્મહત્યાના બનાવોને રોકવા પોલીસ દ્વારા કમિટીની રચના, NGOને સાથે રાખી કામગીરી કરાશે...

સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

New Update
  • માનસિક તાણના કારણે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો

  • શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકાશે

  • સુરત પોલીસ દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી

  • કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવશે

  • મહત્વતા આપી આવા કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો

Advertisment

સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

હાલના કપરા સમયમાં ધંધા-રોજગારવેપારમાં મંદી સહિત અને પ્રકારની સમસ્યાઓના કારણે સર્જાતી માનસિક તાણના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યાં છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં આત્મહત્યા રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ઘરેથી ભાગી ગયેલા લોકોને શોધવા માટે પણ એક NGO સાથે રાખી પોલીસે કવાયત હાથ ધરી છે.

આ સાથે જ તેઓ કેમ ઘર છોડીને બહાર નીકળી ગયા તે પણ જાણવા પોલીસ કામગીરી કરશેઅને ત્યારબાદ તેમની સમસ્યાનું નિવારણ લાવવા પણ સુરત પોલીસ પ્રયાસ કરશે. જે સ્થળે વારંવાર અકસ્માત થાય તે સ્થળને રેડ ઝોન જાહેર કરી સુધારવાના પ્રયત્નો કરવામાં આવશે. ખાસ ડ્રગ્સ વેંચતા અને લેતા લોકોના વિસ્તારમાં અભ્યાસ અને તેઓને ટ્રેસ કરી સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. વર્ષ 2025માં પોલીસ આ કાર્યોને મહત્વતા આપી આવા કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરશે.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment